SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણજીવનની આચારસંહિતા ૧૯૯ થઈ જાય. આ માર્ગદર્શન મુજબ જે સાધુજીવન જીવવામાં આવે તો સમગ્ર જીવનવ્યવહાર શુદ્ધ અને અપાયરહિત બની જાય. स्थाननिषद्याव्यत्सर्गशब्दरूपक्रियाः परान्योन्याः। पञ्चमहाव्रतदाचं विमुक्तता सर्वसंगेभ्यः ।।११७ ।। અર્થ : આચારાંગ સુત્રના બીજા ભૃતસ્કન્ધની બીજી ચૂલિકાનાં સાત અધ્યયનાનાં નામ, સ્થાનક્રિયા, નિષદ્યાક્રિયા, બુર્રક્રિયા, શબ્દક્રિયા, રૂપક્રિયા, પરક્રિયા અને અન્યોન્યુકિયા, પાંચ મહાવ્રતમાં દઢતા ત્રીજી ચૂલિકા સર્વસંગથી મુક્તિ ચિથી ચૂલિકા વિવેદન : પહેલી ચૂલિકામાં જે સાત અધ્યયનો છે, તે અધ્યયનોના અવાંતર ઉદ્દેસા પ્રિકરણો છે, જ્યારે આ બીજી ચૂલિકાનાં જે સાત અધ્યયનો છે, તેનાં અવાત્તર ઉદ્દેસા નથી, અવાજોર પ્રકરણો નથી. બીજી ચૂલિકાનાં સાત અધ્યયનોના વિષય છે, તે માત્ર ક્રિયાત્મક નથી, ભાવાત્મક પણ છે. પહેલી ચૂલિકાના વિષયો માત્ર ક્રિયાત્મક છે. આપણે હવે એક-એક અધ્યયનના વિષયની સામાન્ય રૂપરેખા જઈશું. ૧. સ્થાનક્રિયા : સાધુએ કેવા સ્થાનમાં રહેવું જોઈએ - આ વાત વિશિષ્ટ રીતે આ અધ્યયનમાં કહી છે. વિશિષ્ટ પ્રતિજ્ઞાને ધારણ કરનાર સાધુ. પોતાના કાર્યોત્સર્ગ-ધ્યાનને કેવી રીતે કરે છે - તેનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશિષ્ટ પ્રતિજ્ઞાઓને અહીં “ચાર પ્રકારની પ્રતિમા' કહેવામાં આવી છે. ૨.નિષદ્યાક્રિયા: ધ્યાન અને સ્વાધ્યાયને યોગ્ય સ્થાનમાં રહેલા સાધુઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે આ અધ્યયનમાં બતાવાયું છે. અર્થાત્ સાધુઓએ પરસ્પર શરીરને સ્પર્શ ન કરવો, મહોદય થાય તેવી રીતે એકબીજાને વળગવું નહીં... વગેરે મહત્ત્વપૂર્ણ વાતો સંક્ષેપમાં કહેવામાં આવી ૩. વ્યુત્સર્ગ ક્રિયા : સ્થાને રહેલા સાધુઓએ મળ-મૂત્રનો ત્યાગ ક્યાં કરવો અને ક્યાં ન કરવો, એનું સ્પષ્ટ માર્ગદર્શન આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે. મળ-મૂત્રના આવેગને રોકવાની સૂત્રકારે ના પાડી છે. ૪. શબ્દદિયા : સ્થાને રહેતાં કે બહાર આવશ્યક કામે જતાં, પ્રિય-અપ્રિય શબ્દો સાધુના કાને તો પડવાના, પરંતુ એ સાંભળીને સાધુ રાગ-દ્વેષ ન કરે. ઇરાદાપૂર્વક ગીત-સંગીત સાંભળવા માટે તે ન જાય. સહજ રીતે શબ્દો કાને પડી જાય ત્યારે તે રાગ કે દ્વેષ ન કરે. આ વિષયનું સવાંગીણ વિવેચન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy