SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-રૂપરેખા ૧૯૫ પરીપહ શીત છે, જ્યારે વીસ પરીપહ ઉષ્ણ છે! સ્ત્રી પરીષહ અને સત્કાર પરીપત ભાવાત્મક દૃષ્ટિએ શીત પરીષહ કહેવાય છે. બાકીના વીસ પરીષહ ઉષ્ણ કહેવાય છે. ૪. સમ્યક્ત્વ : સમ્યક્ત્વ એટલે સમ્યગ્દર્શન. આ સમ્યગ્દર્શન તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ હોય છે. આ શ્રદ્ધા, શંકા-કાંક્ષા-વિચિકિત્સાથી રહિત જોઈએ અને અવિચલ જોઇએ, આ વિષયને આ અધ્યયનમાં વિશદ ક૨વામાં આવ્યો છે. ૫. લોકસાર : મુનિ સંસારથી ઉદ્વિગ્ન હોય, હિંસા-અસત્ય વગેરે પાપોમાં પ્રવૃત્ત ન હોય, મુનિ અકિંચન હોય-આ વાતો બતાવીને પછી, મુનિ સંસારના કામભોગોમાં કેમ ઉદ્વિગ્ન હોય, તેના હેતુઓ બતાવ્યા છે. મુનિ સંસારમાં સંયમને જ સારભૂત માને છે, નિર્વાણને જ સારભૂત માને છે; તેથી સંયમ અને નિર્વાણનું સાધક એવું ધર્મજ્ઞાન જ એને મન ‘લોકસાર' હોય છે. પોતાના મોક્ષમાર્ગનો ક્યારેય ત્યાગ કર્યા વિના અવિરત ગતિથી એ પ્રગતિ સાધતો સારભૂત મોક્ષને પામે છે, આ વાત ખૂબ જ માર્મિક રીતે આ અઘ્યયનમાં કહેવાઈએ છે. ૬. ધુત : આ અધ્યયનમાં સ્વજન, મિત્ર, પત્ની, પુત્ર આદિ તરફ નિરપેક્ષભાવ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. અર્થાત્ આ બધાં સ્વજન-પરિજનોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષય કરવા માટે શ્રુતજ્ઞાનાનુસાર ધર્માનુષ્ઠાન કરવાની પ્રેરણા આપીને છેવટે શરીરનો અને ઉપકરણોનો પણ ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૭. મહાપરિક્ષા : શ્રમણજીવનમાં આરાધવાના મૂળ ગુણો [પાંચ મહાવ્રતો] અને ઉત્તર ગુણો (ગોચરીના ૪૨ ર્દોષોનો ત્યાગ વગેરે ને સમ્યગ્ રીતે જાણીને તે મુજબ જીવવાનો ઉપદેશ આ અધ્યયનમાં આપવામાં આવ્યો છે. ભલે શ્રમણ પાસે મંત્રશક્તિ હોય, તંત્રોનું જ્ઞાન હોય કે આકાશગમન વગેરેની લબ્ધિ હોય, પરંતુ એનો ઉપયોગ ભૌતિક સુખ-સમૃદ્ધિ માટે નહીં કરવાની સાવધાની આપવામાં આવી છે. સ્વજીવન પ્રત્યે નિર્મમ-નિઃસ્પૃહ રહી આત્મગુણોની આરાધના માટે જ સાધુએ જીવવાનું છે, એ તાત્પર્ય છે. જીવનનો મો, મનુષ્ય પાસે અનેક અકાર્યો કરાવે છે. આ જ અધ્યયનનો બીજો વિભાગ છે : પ્રત્યાખ્યાનપરિણા. આમાં, ત્યાજ્યનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરીને સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રમાં પુરુષાર્થ કરવાનું કહેવામાં આવ્યું છે. વૈયાવૃત્યોદ્યો‘ કહીને સત્કાર્યોમાં સતત ઉદ્યમશીલ બનવાનો નિર્દેશ કરેલો છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy