SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ ગંભીર ચિંતનનો વિષય : ખરા? વેપારધંધો કે બીજી આળપંપાળ ગમે ખરા ભગવંત? હવે...આજે તો છેલ્લો દિવસ છે...' મહાનુભાવ! તારા પ્રશ્નનો જવાબ તને મળી ગયો ને? મારા જીવનમાં કેમ એકેય પાપ નથી? હું સતત મૃત્યુનું સ્મરણ કરું છું. મૃત્યુનું સ્મરણ પાપનું મારણ છે, તને મૃત્યુનું સ્મરણ રહ્યું, માટે તારું જીવન નિષ્પાપ બન્યું. તું ભગવસ્મરણમાં લીન બન્યો! તું હજુ જીવવાનો છે, આજે મરવાનો નથી. આ તો નિષ્પાપ જીવનનું રહસ્ય સમજાવવા તને મેં કહેલું.' ' જ્ઞાની પુરુષો કહે છે : મૃત્યુ અનિશ્ચિત છે. ગમે ત્યારે આયુષ્ય પુરું થઈ જાય.....ગમે ત્યાં અને ગમે ત્યારે મૃત્યુ જીવાત્મા પર ત્રાટકે... આવી સ્થિતિમાં વિષયસુખોની મહેફિલો ઉડાવાય? માનવીનું અને તિર્યંચોનું આયુષ્ય નિશ્ચિત નથી હોતું...., ગમે ત્યારે આયુષ્ય પુરું થઈ જાય. દેવોનું અને નારકીના જીવનું આયુષ્ય નિશ્ચિત હોય છે, તેમ મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે. વર્તમાનકાળમાં આપણા સહુનાં ‘સપક્રમ-આયુષ્ય હોય છે એટલે કે ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ જાય અને માત આવી જાય. ધનસંપત્તિ, ઇજ્જતઆબરૂ કે પુત્ર-પરિવાર કોઈ જ બચાવી ન શકે. કોઈ મંત્ર, તંત્ર કે યંત્ર બચાવી ન શકે. કોઈ ઔષધિ કે જડીબુટ્ટી ન બચાવી શકે.... આવી અશરણા... નિઃસહાય સ્થિતિમાં વિષયસુખોની રંગરેલી ખેલી શકાય ખરી? છતાંય વિષયસુખો માણવા ગમતાં હોય તો આપણે બુદ્ધિહીન પશુ જ છીએ, માનવ નથી. ભલે કલેવર માનવનું હય, આચરણ પશુનું જ કહેવાય. જો આપણે માનવ છીએ તો પ્રતિદિન....પ્રતિક્ષણ મોતનું સ્મરણ રહેવું જોઈએ. આપણા મૃત્યુની કલ્પના મૃત્યુ સમયનું વાતાવરણ... મૃત્યુ પછીનો પુનર્જન્મ...આ બધું રોજ એકાદવાર પણ વિચારવું જોઈએ. તો વિષયસુખોની આસક્તિ મંદ પડી જશે... ધીરે ધીરે વિષયો તરફ આપણું મન અનાસક્ત બની જશે. ગંભીર ચિંતdળો વિષય विषयपरिणामनियमो मनोऽनुकूलविषयेष्वनुप्रेक्ष्य । द्वीगुणोऽपि च नित्यमनुग्रहोऽनवद्यश्च संचिन्त्यः ।।१११।। અર્થ : મનના અનુકુળ વિષયોમાં વિપયાના પરિણામના નિયમનું વારંવાર ચિંતન કરવું જોઈએ (અ) સર્વદા નિર્દોષ તથા બહુગુણયુક્ત લાભનો વિચાર કરવો જોઈએ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy