SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ પ્રશમરતિ એ ‘સેવાભક્તિ’ ના અંતે એ પ્રિયતમાએ તમને હસીને બોલાવ્યા. વિભિન્ન હાવભાવ કરીને તમારા દિલને બહેલાવવા માંડ્યું.....એની સુંદરતામાં તમે અભિવૃદ્ધિ જોઈ, તમારો સ્નેહસાગર ઊછળવા લાગ્યો....મોહનાં મોજાં આકાશમાં ઉછળવાં લાગ્યાં. હવે દર્શન અને શ્રવણ પછી, એ રૂપસુંદરીના સ્પર્શની વાસના ભભૂકી ઊઠી. તમે દીન બનીને....ભિખારી બનીને....એના દેહસુખની યાચના કરી....એણે પોતાનાં તન-મન તમને સમર્પિત કરવાની તત્પરતા બતાવી....તમે મોહના ઉન્માદમાં નાચી ઊઠ્યા અને સંભોગસુખ માણવા આતુર બની ગયા..... તે વખતે, તમારા એ શયનખંડના બારણે ટકોરા પડ્યા, 'કોઈ આવ્યું... એમ સમજીને તમે દ્વાર ખોલ્યું....તમારી સામે શ્વેતવસ્ત્રોમાં સજ્જ, હાથમાં દંડ અને પાત્ર...આંખોમાં કરુણા અને વાણીમાં માધુર્ય....એવા સાધુપુરુષને ઊભેલા જોયા. તેમણે તમને કહ્યું : ‘વત્સ, હું કંઈ લેવા નથી આવ્યો, કંઈક કહેવા આવ્યો છું!’ તમે કહ્યું : ‘મુનિવર, આપને જે કહેવું હોય તે કહો.’ મુનિવરે કહ્યું : ‘વત્સ, વિષયસુખો હલાહલ ઝેરથી પણ વધુ ખતરનાક છે. ઝેર તો એક મૃત્યુ આપે છે, આ વૈષિયક સુખો સેંકડો જીવનોને દુ:ખમય બનાવશે, સેંકડો મોતને કોત બનાવશે. પાછો વળ મારા પ્રિય બાળ! શાન્ત થા. સ્વસ્થ થા, જે ઇન્દ્રિયસુખ ભોગવવા તું તત્પર થયો છે, તેનો ત્યાગ ફર.' આટલું કહીને, ‘ધર્મમ' નો આશીર્વાદ આપીને એ સાધુપુરુષ ચાલ્યા હવે તમે શું કરશો? તમને એ રૂપરમણીમાં હલાહલ ઝેરનાં દર્શન થશે? તમારી ઉદ્દીપ્ત કામવાસનામાં તાલપુટ વિપનાં દર્શન થશે? હા, મનની આંખો ખુલી ગઈ હોય, તો જ એ દર્શન થાય. એ દર્શન થયા પછી ગાત્રો શિથિલ થઈ જાય.....શરીરે પરસેવો વળી જાય... આંખો ભયથી પહોળી થઈ જાય! ગયા. ગ્રન્થકાર મહર્ષિએ વિષયોને, ખૂબ રાગથી સેવેલા-ભોગવેલા વિષયોને સેંકડો....હજારો જીવનોની પરંપરામાં દુઃખોનું સાતત્ય આપનારા બતાવ્યા છે. જો એ વિષયનું સેવન મંદ રાગથી, અલ્પ રાગથી થાય, તો એ વિષયો એટલા બધા ભીષણ દુ:ખદાયી નથી બનતા. જો એ વિષયોનું સેવન સર્વથા ત્યજી દેવામાં આવે તો એ વિષયો એક ક્ષણનું પણ દુઃખ આપી શકતા નથી! પાંચ ઇન્દ્રિયોના જે જે વિષયો સાથે આપણા રાગનો સંબંધ થાય છે, જે જે વિષયો સાથે હૃદય આક્તિથી બંધાય છે, તે તે વિષયો આપણા આત્માનું For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy