SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ નીચ ગોત્રકર્મ શાથી બંધાય? જેવો બળવાન બીજો કોઈ નહીં! મારી બુદ્ધિની આગળ ભલભલા બુદ્ધિશાળીઓ પાણી ભરે! મારું જ્ઞાન અદ્વિતીય....મારા જ્ઞાનની તોલે કોઈ ન આવે....! તમે તમારી પોતાની પ્રશંસા ગાવાનું બંધ કરી દો. એ માટે તમારી મનોવૃત્તિઓ બદલો, “મારા કરતાં ઘણા મહાપુરુષો ચઢિયાતા છે....એ મહાપુરુષોનાં બળ, બુદ્ધિ, જ્ઞાન આદિની આગળ હું કંઈ નથી.' આ વિચારને દઢ કરો. બીજા મનુષ્યોનાં બળ, બુદ્ધિ, જ્ઞાન વગેરેની ભર્સના ન કરો. બીજા જીવોને ઉતારી ન પાડો. “આનામાં કોઈ બુદ્ધિ નથી, મૂર્ખ છે.....આનામાં કોઈ શક્તિ નથી, સાવ નિર્બળ છે. આ તો નીચ કુળમાં જન્મેલો છે. આ તો સાવ અભાગી છે. ફલાણો માણસ સાવ અજ્ઞાની છે....કોઈ જ્ઞાન નથી એની પાસે આવો અવર્ણવાદ ન કરો. કોઈ પણ જીવાત્માને તુચ્છતાની દૃષ્ટિથી ન જુઓ, તિરસ્કારની દૃષ્ટિથી ન જુઓ. એવી રીતે તમારી પ્રશંસા તમે સાંભળો નહીં. વારંવાર સ્વપ્રશંસા સાંભળવાથી માનકાય' પુષ્ટ થાય છે. 8 ની કલ્પનાં થાય દઢ છે. ક્યારેક સ્વપ્રશંસા સાંભળવી પડે તો એમાં તણાઈ ન જાઓ. પ્રશંસકને કહો : ‘તમને મારામાં ગુણો દેખાય છે તે તમારી રાષ્ટિને આભારી છે, બાકી મારામાં મને એવો કોઈ વિશિષ્ટ ગુણ દેખાતો નથી.' કોઈ માણસ કોઈ બીજાના અવર્ણવાદ કરતો હોય, તમે એ સાંભળો નહીં. બીજા જીવોની નિંદા સાંભળવાથી એ જીવો પ્રત્યે અણગમો-તિરસ્કાર પેદા થાય છે. પછી તમે પણ ધીરે ધીરે અવવાદ કરતા થઈ જશો. “માન કપાય'ને ખોરાક મળી જશે માટે જીવોના અવવાદ કરો નહીં અને સાંભળો પણ નહીં. આ માટે તમારે ખૂબ જાગ્રત રહેવું પડશે. જે સંસારમાં ને દુનિયામાં તમે જીવો છો; એ દુનિયામાં સ્વપ્રશંસા અને પરનિંદાનાં પડઘમ વાગી રહેલાં છે! એનાથી તમારે અલિપ્ત રહેવાનું છે. બી. ગોઝાડ શાથી બંધાય? परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च वध्यते कर्म । नीर्चगाँत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ।।१०० ।। અર્થ : બીજાના પરાભવ (નિરસ્કાર) થી અને પરિવાદ (અવર્ણવાદ) થી, તથા પોતાના ઉત્કર્ષથી નીચગાત્ર કર્મ કાં કે ભવામાં પણ ન છૂટે તેવું ભવે ભવે બંધાય છે. ૧૦૦ વિવેવન : તમે જાણો છો ને કે વિચાર, વાણી અને વર્તનથી કમ બંધાય For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy