SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૫ કુલ મદ વિવેચન : શું સમાજમાં, નગરનાં પ્રસિદ્ધ એવા કુળોમાં જે જન્મે છે તે રૂપવાન જ જન્મે છે? બળવાન જ હોય છે? જ્ઞાનવાન અને બુદ્ધિમાન જ હોય છે? સદાચારી અને શ્રીમંત જ હોય છે? તમે ધ્યાનથી અવલોકન તો કરો, જે મનુષ્ય પાસે રૂપ નથી, બળ નથી, જ્ઞાન નથી, બુદ્ધિ નથી, સદાચાર નથી કે શ્રીમંતાઈ નથી. તે શાના પર ગર્વ કરે? માત્ર પ્રસિદ્ધ કુળમાં જન્મી ગયો, એનો ગર્વ? પ્રસિદ્ધ કુળમાં જન્મેલો પરંતુ સાવ કદરૂપો કુબડો માનવી તમારી સમક્ષ આવીને કહે : “અમારું કુળ ઉત્તમ છે ! અમારા જેવું કોઈનું કુળ નહીં!' તો તમને કેવું લાગે? સાવ નિર્બળ..દુર્બળ અને નિ:સત્વ માનવી એમ કહેતો ફરે કે “અમે તો શ્રેષ્ઠ કુળમાં જન્મેલા છીએ, તમારું કુળ અમારા કુળ કરતાં નીચું...' તો તમને કેવું લાગે? સાવ મૂર્ખ હોય, કક્કો-બારાખડી પણ ન આવડતી હોય અને પોતાના કુળનાં ગાણાં ગાય : આખા ગામમાં અમારા જેવું કુળ કોઈનું નહીં... અમારું કુળ સર્વશ્રેષ્ઠ!' આ સાંભળીને તમને શું થાય? બુદ્ધિનો છાંટો પણ ન હોય, સારા-નરસાની પરખ ન કરી શકતો હોય, હિતઅહિતનો વિવેક ન કરી શકતો હોય. અને પોતાના પ્રસિદ્ધ કુળની પ્રશસ્તિ ગાતો હોય : “અમારા કુળમાં તો અભયકુમાર જેવા બુદ્ધિનિધાન પુર્ષો થઈ ગયા. અમારું કુળ એટલે વિશ્વપ્રસિદ્ધ કુળ!' આ સાંભળીને તમને શું થાય? હાસ્યાસ્પદ લાગે કે બીજું કંઈ? એના પ્રત્યે દયા આવે કે બીજું કંઈ? પૂર્વનાં સત્કાર્યોથી, ત્યાગથી અને બલિદાનથી પ્રસિદ્ધિ પામેલા કુળમાં જન્મ થવા માત્રથી પોતાની મહત્તા સમજનારા અભિમાની માણસો સમાજમાં, નગરમાં અને પ્રદેશમાં મૂર્ખ' તરીકે ઓળખાય છે. પોતાની કોઈ જ યોગ્યતા કે પાત્રતા પ્રાપ્ત કર્યા વિના, માત્ર પોતાના કુળની પ્રસિદ્ધિની મૂડી ઉપર કૂદનારા શિષ્ટ સમાજમાં સ્થાન પામતા નથી, જુગાર, પરસ્ત્રીલંપટતા, ચોરી, ડાકુગીરી, સુરાપાન આદિ ઘોર પાપોને આચરનારો પોતાની વાહવાહ ગાતો ફરે “અમે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ!' તો તમારા મન પર એની કેવી પ્રતિક્રિયા થવાની! ક્ષણભર તમને એવા લોકો પ્રત્યે નફરત થઈ જવાની. ‘પોતાના ઉચ્ચ કુળને કલંકિત કરનારા આ મૂર્ખાઓને પોતાના કુળની પ્રશંસા કરતાં શરમ પણ નથી આવતી!' શા માટે કુળનું અભિમાન કરવાનું? કોઈ પ્રયોજન બતાવશો? કુળનું અભિમાન હૃદયમાં ભરીને તમારે શું મેળવવું છે? સમાજમાં માન-મરતબો મેળવવો છે? ઇજ્જત અને પ્રતિષ્ઠા મેળવવી છે? જો આ બધું મેળવવા તમે કુળનો ગર્વ કરો છો, તો તમે ગંભીર ભૂલ કરો છો. માન-મરતબો અને ઇજ્જત-આબરૂ કુળમદ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy