SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મસાધકની ચિંતા ૧૦૯ ત્યાં પહેલાં જ પહોંચી જતું હોય છે. ભારતમાંથી અમેરિકા જવાની અને ત્યાં વસી જવાની ઇચ્છાવાળાઓનાં મન તો અર્મેરિકાની ક્લબોમાં, ગાર્ડનોમાં. અને હોટલોમાં રમતાં થઈ જ જતાં હોય છે.... ભલે પછી અમેરિકા વહેલા પહોંચે કે મોડા! જ્યાં જવું છે ત્યાંનું યથાર્થ જ્ઞાન જોઈએ, ત્યાંનું પ્રબળ આકર્ષણ જોઈએ અને જવાની પૂરી તૈયારી જોઈએ. સંસારવાસથી ત્રાસેલા અને મોક્ષસુખ ચાહનારાઓની મનઃસ્થિતિનું યોગબિંદુમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કેવું સાચું દર્શન કરાવ્યું છે! મોક્ષે વિવું અને તેનું એ યોગીનું ચિત્ત મોક્ષમાં રમતું હોય, તેમનું તન સંસારમાં હોય! અને મન જ્યાં જવા તડપતું હોય ત્યાં પહોંચવામાં વિલંબ થતો હોય, પહોંચાતું ન હોય એટલે હૃદય કેવી અપાર વ્યથા અનુભવે? અને કેટલી બધી ચિંતા થાય? હું ત્યાં ક્યારે પહોંચીશ? હજુ શું મારો પુરુષાર્થ ઓછો છે? જલદીથી જલદી ત્યાં પહોંચવા માટે મારે શું કરવું જોઈએ?' આ રીતે તે આત્મનિરીક્ષણ કરે જ. જ્યાં રહેલાં છે, જે સંસારવાસમાં રહેલો છે ત્યાં મન જરાય માનતું નથી, ઠરતું નથી અને જ્યાં જવું છે ત્યાં પહોંચાતું નથી... ત્યારે એનું મનોમંથન કેવું હોય છે, એનું ચિત્રણ ગ્રન્થકાર સ્વયં કરે છે. આ સાઘની ચિંતા भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य का प्रमादो मे। न च गतमायुर्भूयः प्रत्येत्यपि देवराजस्य ।।४।। आरोग्यायुर्वलसमुदयाश्चला वीर्यमनियतं धर्मे। तल्लब्ध्वा हितकार्ये मयोद्यमः सर्वथा कार्यः ।।६५ ।। અર્થ : કરોડો (અનન્ત) ભવો (નરક, તિર્યંચ, દેવના) એ પણ દુર્લભ મનુષ્યભવ મેળવીને આ મારાં કેવા પ્રમાદ? ગયેલું આયુષ્ય ઇન્દ્રને પણ પાછું આવતું નથી. તો પછી મનુષ્યને તો પાછું આવું જ શાનું!) ઉ૪. ધર્મમાં આરોગ્ય, આયુષ્ય, બળ, સમુદાય (ધન-ધાન્યાદિના) ક્ષણભંગુર છે, વીર્ય (ઉત્સાહ) વિનશ્વર છે. તે આરોગ્ય, આયુષ્ય, બળ, ધનધાન્ય, વીર્ય) મેળવીને હિતકાર્યમાં (જ્ઞાન-દર્શન-ચારિત્રમાં) મારે સર્વ પ્રકારે (વિશ્રામ વિના) પુરુષાર્થ કરવો જોઈએ. ઉપ. વિવેવન : માનવજીવન કેટલું બધું દુર્લભ છે! અનન્ત અનન્ત, જીવની સૃષ્ટિમાં સહુથી થોડા મનુષ્યો! તિર્યંચગતિના જીવો અનન્ત, દેવગતિના જીવો For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy