SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પ્રશમરતિ ભિક્ષા ગ્રહણ કરે. ‘ઉછવૃત્તિનો અર્થ “કોઈને પણ પીડા ન થાય તે રીતે ભિક્ષા ગ્રહણ કરવી, એ થાય છે. ૫. જિનકથિત અર્થના સદ્ભાવને ભાવનાર : જે પ્રમાણે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ અર્થ કહ્યા અને ગણધરોએ સૂત્રબદ્ધ કર્યા, તે જ પ્રમાણે આ જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ તત્ત્વો છે.' આ છે સભાવની ભાવના. ધર્મતીર્થની સ્થાપના કરતા અનન્ત કરણાનિધાન પરમાત્મા તીર્થકર સર્વપ્રથમ ગણધરોને ‘ત્રિપદી” આપે છે. પ્રત્રે વા વિનામેરૂ ઘેરું વાં. આ ત્રિપદી ગ્રહણ કરીને ગણધરો દ્વાદશાંગીની રચના કરે. એ રચના કોઈ કાગળ ઉપર કે તાડપત્ર ઉપર નથી થતી, એ રચના થાય છે માનસપટલ ઉપર! ગણધરોના આત્મામાં સ્વયંભૂ જ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો સાગર ઉભરાય છે. તીર્થકર પોતાના પૂર્ણજ્ઞાનમાં એ મૃતોદધિને જુએ છે અને પ્રમાણિત કરે છે. પ્રત્યેક દ્રવ્યમાં પૂર્ણજ્ઞાની પરમાત્માએ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વિજ્ઞાન જોયું. તેને દ્રવ્ય ન કહેવાય કે જેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય ન હોય, દ્રવ્યાર્થિક નયથી દ્રવ્યની ધ્રુવસત્તા બતાવી અને પર્યાયાર્થિક નયથી ઉત્પત્તિ અને લય બતાવ્યોઉપરથી નિત્ય અને સ્થિર દેખાતા દ્રવ્યમાં ઉત્પત્તિ, અને નાશની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. એ પ્રક્રિયા સર્વજ્ઞ પ્રત્યક્ષ જુએ, છઘ0 શાસ્ત્રથી અને અનુમાન પ્રમાણથી માને. જૈનશાસનના પદાર્થવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત છે : ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આત્મદ્રવ્ય નિત્ય છે. આમાના પર્યાયો અનિત્ય છે. પર્યાયોની ઉત્પત્તિ થાય છે અને નાશ થાય છે. પર્યાય એટલે અવસ્થા, આત્માની “મનુષ્યપણું એક અવસ્થા છે. તે ઉત્પન્ન થઈ છે અને નાશ પણ પામશે. એનો એ આત્મા દેવ બને છે ત્યારે દેવપણાની અવસ્થા ઉત્પન્ન થઈ અને એ પણ નાશ પામવાની! અરે, સર્વ કર્મોનાં બંધનો તોડી આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયો, ત્યાં પણ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વિજ્ઞાન હોય છે! આત્મા નિત્ય, પરંતુ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગમાં ઉત્પત્તિ અને લય ચાલ્યા કરે! જેમ આત્મદ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો સિદ્ધાંત આપણે જોયો, તેમ અજીવ દ્રવ્યોમાં પણ આ સિદ્ધાંત રહેલો છે. અજીવ-જડ દ્રવ્યોમાં પરમાણુ નિત્ય અંશ છે, એની અવસ્થાઓ અનિત્ય છે. અવસ્થાઓ બદલાયા કરે છે. આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy