SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મબંઘ यस्मिन्निन्द्रियविषये शुभमशुभं वा निवेशयति भावम् । रक्तो वा द्विष्टो वा स बंधहेतुर्भवति तस्य ।।५४ ।। અર્થ : ઇન્દ્રિયોના જે વિષયમાં રોગયુક્ત ક પયુક્ત જીવ શુભ કે અશુભ ચિત્તપરિણામ સ્થાપિત કરે છે તેને તે ચિત્તપરિણામ કર્મબંધનો હેતુ બને છે. વિવેચન : ઇન્દ્રિયોથી પરોક્ષ આ કર્મબંધની વાત કેવી રીતે સમજાવું? ઇન્દ્રિયોને પ્રત્યક્ષ વાતોમાં જ માનતા અને રાચતા જીવાત્માઓને ગળે કર્મબંધનું તત્ત્વજ્ઞાન ન જ ઊતરે. તમારે ઇન્દ્રિયોથી પરોક્ષ, પરંતુ શાસ્ત્ર પ્રત્યક્ષ વાતોને સ્વીકારવી જોઈશે. એ શાસ્ત્રોની રચના કરનારા જ્ઞાની અને કરુણાવંત મહાપુરુષો ઉપર પૂર્ણ વિશ્વાસ સ્થાપવો પડશે. હા, કર્મબંધના અને કર્મ-ઉદયના સિદ્ધાન્તને તમે તમારી બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરી શકો. સમગ્ર સંસારમાં જીવી રહેલા અનન્ત અનન્ત જીવાત્માઓનાં સુખ અને દુ:ખનો આધાર આ કર્મબન્ધ છે! કર્મોને બાંધનાર જીવે છે અને ભોગવનાર જીવ છે. તમે વર્તમાનમાં જે સુખ-દુઃખ અનુભવી રહ્યા છો, તેનું કારણ પુણ્યકર્મનો ઉદય અને પાપકર્મનો ઉદય છે. તમે સ્વયં ગતજન્મોમાં જે કમ બાંધ્યાં હતાં એ જ કર્મોથી કેટલાંક કર્મો ઉદયમાં આવીને તમને સુખાનુભવ અને દુઃખાનુભવ કરાવે છે! એ કર્મબંધ કેવી રીતે થાય છે તે વાત અહીં સમજાવવામાં આવી છે. તમારો ચિત્તપરિણામ કર્મબંધમાં અસાધારણ કારણ છે. તમારા મનના વિચારો જ કર્મબંધના મુખ્ય હેતુઓ બને છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોમાંથી ગમે તે વિષયમાં તમે રાગી બન્યા, તમારા વિચારો “આ વસ્તુ સારી છે, ગમે છે...' આવા બન્યા, એટલે કે તમારા આત્મા સાથે ચોંટી પડ્યાં સમજો. એવી જ રીતે હેપી બનેલો જીવ વિષયો અંગે “આ પદાર્થો સારા નથી, ગમતા નથી....' વગેરે વિચારોમાં ચડ્યો એટલે કર્મોએ આત્માને આવૃત્ત કર્યો સમજો, કર્મ-પુદ્ગલો સાથે વિચારોનો કેવો ગાઢ સંબંધ છે! વિચાર કરતાંની સાથે જ કર્મો હાજરી આત્માની સાથે દૂધ-પાણીની જેમ એકમેક થઈ જાય! મનના વિચારો જ મુખ્યરૂપે કર્મબંધનાં કારણો છે. રાગી જીવ રાગભરપૂર વિચારો કરે છે, તેથી જીવ દ્વેષભરપૂર વિચારો કરે છે! વિચારોના વિષય હોય છે વિષયો! પાંચ ઇન્દ્રિયોના વિષયો! For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy