SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ નહિ એસો જનમ બાર-બાર જમાતને મન ડાબા હાથની રમત જેવી વાત છે. તો શી રીતે નિષ્પાપ બનવું? આ રહ્યા તે માટેના છ પગથિયાં. ક્રમશઃ જ એની ઉપર ચડવું પડશે. પૂર્વપૂર્વનું પાકું કર્યા વિના આગળ વધશો તો બધા ય કાચા રહી જશે. ૧. પાપનો પાપ તરીકે સ્વીકાર કરો ભગવાન જિનેશ્વરોએ જેને પાપ કહ્યું તેને તમે પણ પાપ તરીકે જ સ્વીકારો. આ પગથિયું ખૂબ જ કઠિન છે. આની કચાશને કારણે જ ઘણા આત્માઓ નિષ્પાપ બની શકતા નથી. પાપને ત્યાગવું હજી સહેલું છે પરંતુ તેને પાપ સમજીને પાપ તરીકે ત્યાગવું તો અત્યંત કઠીન છે. ૨. પાપથી ધૂજો : જેને પાપ માન્યું તેની કલ્પનાથી પણ ધ્રૂજી ઊઠો. ૩. પાપના નિમિત્તોથી નાસી છૂટો પાપ કરાવનારા જે સાધનો હોય તેનાથી સદા વેગળા રહો. ૪. પાપના પશ્ચાત્તાપપૂર્વક સખ્ત દંડ રાખો : નિમિત્તોથી દૂર રહેવા છતાં પાપ થઈ જાય તે પણ બને. તેવી સ્થિતિમાં ઘોર પશ્ચાત્તાપ કરો અને તેનો સખ્ત દંડ ભોગવો. ૫. નિષ્પાપને વંદના કરો : પણ માત્ર પશ્ચાત્તાપ નહિ ચાલે. વળી આપબળે કાંઈ પાપો જિતાય પણ નહિ. નિષ્પાપને વંદના કરીને જ એ બળ મેળવી શકાય. ૬. નિષ્પાપની શરણાગતિ વારંવાર લો : દિવસમાં જ્યારે ને ત્યારે નિષ્પાપ મહાત્માઓ અને પરમાત્માઓનું માનસિક શરણ સ્વીકારો. ઊધઈની મહારાણી : પાપ સંસ્કારો લાખો ઊધઈથી ખદબદી ઊઠેલા કોઈ કબાટને જોઈને ગમે તેવો માણસ કંપી ઊઠે છે. પણ એ ઊધઈઓની જનેતા મહારાણી એની નજરમાં ઝટ આવતી નથી. જો લાખો ઊધઈ ચિંતાજનક હોય તો તેની જનેતા મહારાણી કેટલી ચિંતાજનક હોઈ શકે ?
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy