SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ નહિ એસો જનમ બાર-બાર બળીને રાખ જ થવાનો. લખપતિ પણ મરવાનો, બળવાનો અને રાખ જ થવાનો. બે ય બે જ કલાકમાં સમાન! નીતિનો પૈસો ય પાપ, સ્વસ્ત્રી સાથે વિષયસેવન પણ પાપ! કદાચ આ મથાળું વાંચીને જ તમે ચમકી જશો. અજૈનદર્શનના કોઈ પણ શાસ્ત્રમાં કદાચ આ વાત તમને શોધી નહિ જડે, આ તો છે માત્ર દેવાધિદેવ તીર્થકર ભગવાન મહાવીર પરમાત્માની દેન! નીતિ, અલબત્ત ધર્મ છે, પણ ધનાર્જન બેશક પાપ છે. પાંચમાં નંબરના પરિગ્રહ નામનું એ ખતરનાક પાપ છે. વિષયસેવન એ પાપ જ છે. ભલેને સ્વસ્ત્રી સાથે હોય. અરે ! દારૂ તો કાયદેસરનો-લાઈસન્સવાળો કે ગેરકાયદેસરનો-લાઈસન્સ વિનાનો-કોઈ પણ પ્રકારનો-પીવો એ પાપ જ કહેવાય ને? હા.... ધનાર્જનનું એક પાપ કરતાં અનીતિનું બીજું પાપ પણ ન કર્યું એ ઘણું સુંદર. વિષયસેવનનું એક પાપ, પરસ્ત્રીગમનના પાપથી વધારે ઝેરી ન બન્યું એ ઘણું સુંદર. પરંતુ પાપ તે પાપ જ. પરિગ્રહના મહાપાપમાં નીતિનો ધર્મ ભળે તેથી કાંઈ પાપ એ ધર્મ ન બની જાય. ગટરના પાણીમાં અત્તરનું એક ટીપું પડી જાય તેથી કાંઈ ગટરનું પાણી “ગંધાતું” મટી જાય ખરું? ફરી કહું છું. “નીતિથી પૈસો કમાવવો એમાં “પૈસો કમાવવો' એ પાપ જ છે. સ્વસ્ત્રી સાથેનું પણ જે વિષયસેવન એ તો પાપ જ છે. જેને આ વાત સમજાશે તેના અંતરમાં વિચારોના ઘમ્મર વલોણા શરૂ થશે. પછી તો એ ખૂબ અકળાશે. એનું દિલ પુકારી ઊઠશે કે, “તો પછી સંસારમાં રહેવું શી રીતે ?'' હા.. તદ્દન સાચું છે. મારું પણ એ જ કહેવું છે કે આ જ કારણે સંસારમાં રહેવું
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy