SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ જ્ઞાનસાર આવી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીનો સમૂહ થાય, ત્યારે એક પુદ્ગલપરાવર્ત કહેવાય. અતીતકાળ અનન્ત પુદ્ગલપરાવર્તનો છે. અતીતકાળ કરતાં અનન્તગુણ વધારે ભવિષ્યકાળ છે! અર્થાત્ અનાગતકાળમાં જે પુદ્ગલપરાવર્ત છે તે અતીતકાળ કરતાં અનંત ગણો વધારે છે. આ “પગલપરાવર્ત' ચાર પ્રકારે છે : ૧, દ્રવ્ય પુગલપરાવર્ત, ૨. ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત, ૩. કાળ પુદ્ગલપરાવર્ત, ૪. ભાવ પુદ્ગલપરાવર્ત. આ ચારેય પુદ્ગલપરાવર્ત બે-બે પ્રકારે છે : ૧, બાદર, અને ૨. સૂક્ષ્મ. ૧. બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત : એક જીવ સંસાર-અટવીમાં રઝળતો, અનંત ભવોમાં ઔદારિક વૈક્રિયતૈજસ-કાશ્મણ-ભાષા-શ્વાસોચ્છવાસ અને મિનરૂપ સર્વે મુગલોને (૧૪ રાજલોકમાં રહેલા) ગ્રહણ કરી, ભોગવી અને મૂકી દે – એમાં જેટલો કાળ લાગે, તેટલો કાળ બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્તનો કાળ કહેવાય. (આહારક શરીર તો એક જીવ માત્ર ચાર વાર જ બનાવે છે, એટલે પુદ્ગલપરાવર્તકાળમાં તે ઉપયોગી ન હોવાથી તેને લીધું નથી.) ૨. સૂકમ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત : દારિક વગેરે શરીરમાંથી કોઈ એક શરીરથી એક જીવ સંસારમાં પરિભ્રમણ કરતો બધાં જ પુદ્ગલોને ગ્રહી, ભોગવીને મૂકે, તેટલા કાળને સૂક્ષ્મ દ્રવ્ય પગલપરાવર્ત કહેવાય. વિવક્ષિત શરીર સિવાય બીજાં શરીરથી જે પુદ્ગલો ગ્રહ ને ભોગવે તે ન ગણાય. ૩. બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન : ક્રમથી કે ઉત્ક્રમથી એક જીવ લોકાકાશના બધાં જ પ્રદેશોને મૃત્યુથી સ્પર્શ ९३. 'ओसप्पिणी अणंता पोग्गलपरियट्टओ मुर्णयन्यो। तेऽणंता तीयद्धा अणागयद्धा अणंतगुणा ।।' ९४. ‘पोग्गलपरियट्टो इह दव्याइचउविहो मुणेयव्यो। - प्रवचनसारोद्धार For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy