SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિરતા ૨૫ स्थैर्यरत्नप्रदीपश्चेद् दीप्रः संकल्पदीपजैः। તવિકીરત્ન ઘર્મરત્ન પૂર્ણસ્તથા વૈ: Tીદ્દીરરા અર્થ : જો સ્થિરતારૂપ રત્નદીપક સદા દેદીપ્યમાન છે તો સંકલ્પરૂપ દીપથી ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધૂમનું શું કામ છે? તથા અત્યંત ધૂમ-મલીન એવા પ્રાણાતિપાતાદિક આસવોનું પણ શું કામ છે? વિવેચન : “હું શ્રીમંત બનું...” આ છે સંકલ્પનો દીવો. તે માટીનો બનેલો છે. અમુક બજારમાં જાઉં... દુકાન કરું...કોઈ શ્રીમંતને ભાગીદાર બનાવું.. કાળજીપૂર્વક કુનેહથી ધંધો કરુ..ખૂબ ધન કમાઉં... પછી મોટો બંગલો બંધાવું..મોટર વસાવું...” આ છે વિકલ્પોનો ધુમાડો! સંકલ્પના દીવામાંથી આ વિકલ્પોનો ધુમાડો નીકળ્યા જ કરે છે! જ્યારે સંકલ્પ-દીપકનો પ્રકાશ તો ક્ષણ વાર રહીને બુઝાઈ જાય છે. મનઘર મલિન બની જાય છે. એક શ્રીમંતાઈની ઈચ્છા જાગે છે, તેની પાછળ મનુષ્ય કેટલા હિંસાદિ આસવોના વિચાર કરે છે! પણ એ વિચારોનું પરિણામ શું? કેવળ થાક, ખેદ, ક્લેશ, કર્મબંધ!.. શ્રીમંતાઈની ઈચ્છા ક્ષણભર આવીને શમી જાય છે.. પછી એની પાછળ વિકલ્પો કરી કરીને મનુષ્ય પોતાના મનને આર્તધ્યાનરૌદ્રધ્યાન કરી કરીને બગાડી મૂકે છે...વિકલ્પોના ધુમાડામાં તે ગૂંગળાઈ જાય છે...હિંસાદિ આસવોમાં અટવાઈ જાય છે અને અંતે મોતને શરણે થઈ દુર્ગતિમાં પટકાઈ પડે છે. શ્રીમંતાઈની ઈચ્છાની જેમ, કીર્તિની-સત્તાની ઈચ્છા.. હું પ્રધાન બનું...' આ સંકલ્પ જાગ્યો. તેની પાછળ વિકલ્પો કેટલા? ચૂંટણી લડું...પૈસા ખર્ચ..બીજા પક્ષના ઉમેદવારને હરાવવા અનેક યુક્તિ-પ્રયુક્તિ કરું.. લાગવગ વધારું...હિસા-જૂઠ...જે જે આસવોનો-પાપોનો આશ્રય લેવો પડે તે લઉં... આ વિકલ્પો કરવાથી શું મનુષ્ય પ્રધાન બની જાય છે? હા, પાગલ જરૂર બની જાય છે. અનેક પ્રકારનાં પાપોમાં જરૂર ફસાઈ જાય છે. સ્થિરતા છે રત્નનો દીપક, ઝળહળ પ્રકાશ અને ધુમાડાનું નામ નહિ! હું મારા આત્મસ્વભાવમાં...આત્મગુણોમાં રમણ કરુ...આત્મગુણોનો સ્વામી બનું.” આ ભાવના છે રત્નદીપકના પ્રકાશમાં. તે માટે હું પરપુદ્ગલની આસક્તિ દૂર કરું બાહ્ય જગતને જોવાનું, સાંભળવાનું કે અનુભવવાનું ત્યજી દઉં...દેવ-ગુરુ અને ધર્મની ઉપાસનામાં For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy