SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮ જ્ઞાનસાર ૪. અમૂઢતા : તપસ્વી વિદ્યાવંત કુતીર્થિકની ઋદ્ધિ દેખી ચલિત ન થવું. ૫. પવૃંદા : સાધર્મિક જીવોના દાન-શીલાદિ સદ્ગુણોની પ્રશંસા કરી તેના સદ્ગુણોની વૃદ્ધિ કરવી. ૬. ચિરીર : ધર્મમાં ચલચિત્ત જીવોને હિત-મિત-પથ્ય વચનોથી ધર્મમાર્ગમાં પુનઃસ્થિર કરવા. ૭. વાત્સત્ય : સાધર્મિકોની ભોજન-વસ્ત્રાદિ દ્વારા ભક્તિ, સન્માન. ૮. પ્રમાવના : ધર્મકથા, વાદીવિજય, દુષ્કર તપ વગેરે કરવા દ્વારા જિનપ્રવચનનો ઉદ્યોત કરવો. (જો કે જિનપ્રવચન સ્વયં શાશ્વત્, જિનભાષિત અને સુરાસુરથી નમસ્કૃત હોવાથી ઉદ્યોતીત જ છે, તો પણ પોતાના દર્શનની નિર્મલતા માટે પોતાના કોઈ વિશેષ ગુણ દ્વારા લોકોને પ્રવચન તરફ આકર્ષવા.) રૂ. चारित्राचार : પાંચ સમિતિ (ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ) તથા ત્રણ ગુપ્તિ (મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ) દ્વારા મન-વચન-કાયાને ભાવિત રાખવા. ૪. તપાવાર : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા-આ છ બાહ્ય તપ દ્વારા આત્માને તપાવવો. (આ છ પ્રકારના તપ બાહ્ય એ માટે કહેવાય છે કે – (૧) બાહ્ય એવા શરીરને તપાવનાર છે; (૨) બાહ્ય-લોકમાં - ‘તપ’ તરીકે પ્રસિદ્ધ છે. (૩) કુતીર્થિકોએ સ્વમતથી સેવેલ છે.) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને ધ્યાન, આ પ્રકારના આપ્યંતર તપથી આત્માને વિશુદ્ધ કરવો. ૩. વીર્યાવાર : ઉપરોક્ત ચાર આચારમાં મન-વચન-કાયાનું વીર્ય (શક્તિ) ફોરવીને સુંદર ધર્મપુરુષાર્થ કરવો. આ રીતે પંચાચારનું નિર્મળ પાલન કરનાર આત્મા મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરે છે અને મોક્ષપ્રાપ્તિ કરે છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy