SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૩ જ્ઞાનસાર તેજોલેથા” “તેજોલેશ્યા' શબ્દનો પ્રયોગ જૈન-આગમોમાં ત્રણ અર્થમાં થયેલો જોવા મળે છે : ૧. જીવનું પરિણામ. ૨. તપોલબ્ધિથી પ્રગટતી શક્તિ. ૩. આન્તર આનંદ; આન્તર સુખ. “જ્ઞાનસાર” માં ગ્રન્થકારે જે કહ્યું છે : 'तेजोलेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ।।' આ તેજોલેશ્યા આન્તરસુખરૂપ સમજવાની છે. શ્રી ભગવતીસૂત્રના ચૌદમા શતકમાં દેવોની તેજલેશ્યા (સુખાનુભવ) સાથે શ્રમણની તેજલેશ્યાની તુલના બતાવવામાં આવી છે. ટીકાકાર મહર્ષિએ તેજોવેશ્યાનો અર્થ “સુરવાસિવા’ કરેલો છે. અર્થાત્ સુખાનુભવ. એક મહિનાના દીક્ષાપર્યાયવાળો શ્રમણ વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. બે મહિનાના દીક્ષાપર્યાયવાળો શ્રમણ ભવનપતિ દેવોની તેજોવેશ્યાને અતિક્રમી જાય છે. ત્રણ મહિનાના પર્યાયવાળો અસુરકુમાર દેવોની, ચાર મહિનાના પર્યાયવાળો જ્યોતિષદેવોની, પાંચ મહિનાના પર્યાયવાળો સૂર્ય-ચન્દ્રની, છ મહિનાના પર્યાયવાળો સૌધર્મ-ઈશાન દેવોની, સાત મહિનાના પર્યાયવાળો સનકુમાર-માહેન્દ્રની, આઠ મહિનાના પર્યાયવાળો બ્રહ્મ અને લાંતકદેવોની, નવ મહિનાના પર્યાયવાળ મહાશક અને સહસ્ત્રારની, દસ મહિનાના પર્યાયવાળો આનત-પ્રાણત-આરણ અને અય્યતની, અગિયાર મહિનાના પર્યાયવાળો રૈવેયક-દેવોની અને બાર મહિનાના પર્યાયવાળો અનુત્તરવાસી દેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. ૩૦. બીજું મગ્નતા અષ્ટક, શ્લોક ૫. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy