SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૦ જ્ઞાનસાર છેકેટલાકનાં મન શબ્દાદિ વિષયોની સ્પૃહાથી ને ઉપભોગથી પીડિત છે! જ કેટલાક મનુષ્યો કુતર્કના સર્ષોથી ડસાયેલાં છે. કુતર્ક-સર્પોનાં તીવ્ર ઝેરથી તેઓ મૂચ્છિત થઈ ગયેલા છે. જ કેટલાક પોતાની જાતને વૈરાગી ગણાવે છે, પરંતુ એ પણ એક પ્રકારનો હડકવા છે! હડકાયા કૂતરા જેવી એમની સ્થિતિ છે. છે વળી કેટલાક મોહ-અજ્ઞાનના ઊંડા કૂવામાં પડેલા છે, એમની દૃષ્ટિ કૂવાની બહાર પડે જ ક્યાંથી? હા, થોડાં જીવો આ વિશ્વમાં એવાં છે કે જેમના મન પર વિકારનો ભાર નથી. “જ્ઞાનસાર'નો આશ્રય આવાં જીવો જ લેતા હોય છે, લઈ શકે છે. जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वति हृद्गृहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङगयाऽभव नैतद् ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ।। અર્થ : જ્યાં અધિકપણે વિવેકરૂપ તોરણની માળા બાંધેલી છે અને ઉરૂલતાને વિસ્તારતા હૃદયરૂપ ઘરમાં સમયને યોગ્ય મોટો ગીતનો ધ્વનિ પ્રસરે છે. પૂર્ણ આનંદ વડે ભરપૂર આત્માનો, સ્વાભાવિક તેના ભાગ્યની રચનાથી આ ગ્રંથની રચનાના બહાનાથી ચારિત્રરૂપ લક્ષ્મી સાથે આશ્ચર્ય કરનાર પાણિગ્રહણનો મહોત્સવ શું થયો નથી? વિવેચન : પૂર્ણાનન્દી આત્માનો ચારિત્ર-લક્ષ્મી સાથેનો લગ્નોત્સવ તમે જોયો છે? ગ્રંથકાર લગ્નોત્સવ બતાવે છે, જુઓ : આ ઠેર ઠેર બંધાયેલાં તોરણો જુઓ! એ વિવેકનાં તોરણો છે. આ લગ્નનો માંડવો જોયો? એ હૃદયનો માંડવો છે. પ્રકાશથી ઉજ્વલ છે, ને એમાં તમને લગ્નોત્સવનાં ગીતનો મધુર ધ્વનિ સંભળાય છે! તેમાં ૩૨ ગીતો ગવાય છે! અને આતમરામ કેવા આનંદથી ભરપૂર દેખાય છે! આ “જ્ઞાનસાર' ગ્રંથની રચનાનું તો બહાનું છે! તેના માધ્યમથી ચારિત્રરૂપ લક્ષ્મી સામે પૂર્ણાનન્દી આત્માએ લગ્નનો મહોત્સવ યોજ્યો છે! કેવું એનું સદ્ભાગ્ય! For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy