SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦૮ જ્ઞાનસાર જ્ઞાન વિનાની ક્રિયાના આગિયા બનીને જ સંતોષ માનનારા અને આજીવન જ્ઞાનની ઉપેક્ષા કરનારાઓ ગ્રંથકારના આ વચનને ખૂબ વિચારે અને જ્ઞાનોપાસક બને, જ્ઞાન સૂર્ય બને. चारित्रं विरतिः पूर्णा ज्ञानस्योत्कर्ष एव हि । ज्ञानाद्वैतनये द्रष्टिर्देया तद्द्योगसिद्धये ॥ ८ ।। અર્થ : સંપૂર્ણ વિરતિરૂપ ચારિત્ર ખરેખર જ્ઞાનનો અતિશય જ છે, તે કારણથી યોગની સિદ્ધિ માટે માત્ર જ્ઞાનનયમાં દૃષ્ટિ આપવા જેવી છે. વિવેચન : જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા તે ચારિત્ર. જ્ઞાનમાં લીનતા એ ચારિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્ણ વિરતિરૂપ ચારિત્ર શું છે? જ્ઞાનનો જ વિશિષ્ટ અતિશય છે. જ્ઞાનાદ્વૈતમાં દૃષ્ટિ સ્થાપો. જ્ઞાનાદ્વૈતમાં જ લીન થઈ જાઓ-જો તમારે યોગસિદ્ધિ કરવી છે તો, આત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તો જ્ઞાન અને ક્રિયાના દ્વૈતનો ત્યાગ કરો. દ્વૈતમાં વિટંબણા છે, દ્વૈતમાં અશાન્તિ છે. અદ્વૈતમાં આનંદ છે ને શાન્તિ છે. જ્ઞાનાદ્વૈત એટલે આત્માદ્વૈત! આત્માના અદ્વૈતમાં દૃષ્ટિ કેન્દ્રિત કરો. એ સિવાય ક્યાંય દૃષ્ટિને ન લઈ જાઓ. જ્ઞાનસારનો ઉપસંહાર કરતાં ભગવાન યશોવિજયજી, જ્ઞાનાદ્વૈતનું શિખર ચીંધે છે. જ્ઞાનક્રિયાના દ્વૈતમાંથી બહાર નીકળી જવાનું ભારપૂર્વક વિધાન કરે છે. જ્ઞાનની ઉત્કૃષ્ટ પરિણતિ એ જ પૂર્ણ ચારિત્ર છે. એ ચારિત્રને ઝંખતો જીવ જ્ઞાનાદ્વૈતમાં લીન થાય તો જ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે. નિશ્ચયનયનો આ દિવ્ય પ્રકાશ આપનારા ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનમાં જ સાધ્ય, સાધન અને સિદ્ધિ બતાવીને જ્ઞાનમય બની જવા કહ્યું છે. ક્રિયામાર્ગની જડતા ખંખેરી નાખી જ્ઞાનમાર્ગનું અનુસરણ કરવા પ્રેરણા આપી છે. ‘જ્ઞાનાદ્વૈત'માં લીનતા હો! सिद्धिं सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवां श्चिद्दीपोऽयमुदारसार महसा दीपोत्सवे पर्वणि । एतद् भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणां तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ।। · For Private And Personal Use Only અર્થ : શ્રેષ્ઠ અને સારભૂત તેજસહિત આ જ્ઞાન-દીપક ઈન્દ્રના નગરની સ્પર્ધા કરનાર સિદ્ધપુરમાં દિવાળીના પર્વમાં સમાપ્ત થયો. આ ગ્રન્થ, ભાવનાના રહસ્યથી
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy