SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ સાનસાર જાય. મૈથુનનો ત્યાગ તપસ્વી માટે સરળ. તપસ્વીનું લક્ષ જ હોય કે “મારે બ્રહ્મચર્યના પાલનમાં નિર્મળતા, પવિત્રતા અને દઢતા લાવવી છે.” - જિનપૂજામાં તપસ્વી પ્રગતિ કરતો જાય, જિનેશ્વર પ્રત્યે એના હૃદયમાં શ્રદ્ધા-ભક્તિ વધતાં જાય, શરણાગતિનો ભાવ વધતો જાય. સમર્પણની ભાવના વધતી જાય. જિનેશ્વરની દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં હૃદયનો ઉલ્લાસ વધતો જાય. કષાયોનો ક્ષયોપશમ થતો જાય. ક્રોધ-માન-માયા અને લોભ ઓછાં થતાં જાય. કષાયોને ઉદયમાં ન આવવા દે. ઉદયમાં આવેલા કષાયોને સફળ થવા ન દે!” તપસ્વીમાં કષાયો ન જ શોભે' - એનો મુદ્રાલેખ હોય. તપસ્વી કષાયી ન જ શોભે. કષાય કરનારો તપસ્વી તપની નિંદા કરાવે છે, તપનું મૂલ્ય ઘટાડે છે. કષાયોનો ક્ષયોપશમ, એ તો તપશ્ચર્યાનું ધ્યેય હોવું જ જોઈએ. સાનુબંધ જિનાજ્ઞાનું પાલન કોઈ પણ પ્રવૃત્તિ કરતાં “આ માટે જિનાજ્ઞા શી છે? જિનાજ્ઞાનો ભંગ તો નથી થતો ને?' - આ જાગૃતિ હોવી જોઈએ. માજ્ઞારા વિરોદ્ધા ર શિવાય ચ મવા ચા ' આજ્ઞાની આરાધના કલ્યાણ માટે થાય છે, આજ્ઞાની વિરાધના સંસાર માટે થાય છે.' જિનાજ્ઞાની સાપેક્ષતા માટે એ તપસ્વી સદૈવ જાગતો રહે. તપશ્ચર્યાનાં આ ચાર પરિણામ જો તાકવામાં આવે અને તપશ્ચર્યા કરવામાં આવે તો તપનાં કેવાં બહુમૂલ્ય થાય? ધ્યેયહીન, દિશાશૂન્ય...માત્ર પરલોકનાં ભૌતિક સુખો માટે શરીરને તપાવ્યા કરવાનો કોઈ વિશેષ અર્થ નથી અથવા કોઈ ભવે તો મોક્ષ મળશે ને..” આવા આછા-પાતળા અંતિમ લક્ષથી પણ કરાયેલું તપ આત્માનો ઉદ્ધાર ન કરી શકે. એ માટે તો આ ચાર વાતો જોઈએ જ! બ્રહ્મચર્યનું પાલન, જિનેશ્વરનું પૂજન, કષાયોનો ક્ષય અને જિનાજ્ઞાનું પારતંત્ર્ય! એવું પાતંત્ર્ય જોઈએ કે ભવોભવ જિનચરણનું શરણ મળે, ભવભ્રમણ ટળે! तदेव हि तपः कार्य दुर्थ्यानं यत्र नो भवेत् । વેન વો ન દીવ લીન્ને નેન્દ્રિય વ છતાર૪૭ અર્થ : જ્યાં ખરેખર દુર્બાન ન થાય, જેથી મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે અને ઇન્દ્રિયો ક્ષય ન પામે (કાર્ય કરવા માટે અશક્ત ન બને), તે જ તપ કરવા યોગ્ય છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy