SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિગ્રહ-ત્યાગ ૩૦૫ હતાં.પરિગ્રહના પાપે સર્વ-વિરતિજીવન સાથેના સંબંધો ઊતરડાઈ ગયા હતા. વિરક્તિના વેશમાં તમને આસક્તિએ મૂંઝવી નાખ્યા હતા. પરિગ્રહના પાપે જ તો સાધુ મહાવ્રતોનું ઉલ્લંઘન કરવા પ્રેરાય છે. પરિગ્રહનું મમત્વ જ તો એને ક્રોધાદિ કષાયો અને રસ-ઋદ્ધિ-શાતા ગારવનું સેવન કરવા ધક્કો મારે છે! જ્યાં પરિગ્રહને વોસિરાવ્યો; ક્રોધાદિ કષાયો ઉપશાન્ત થઈ જવાના. ગારવો તરફ ધૃણા જાગવાની.. મહાવ્રતોના પાલનમાં સ્થિરતા અને દૃઢતા આવવાની. જ્યારે તમે કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ અને બીજા અનેક સુખ-સાધનોનો ત્યાગ કરી શ્રમણ બન્યા છો, હવે સાધુ-જીવનમાં ઊભો કરેલો મામુલી પરિગ્રહ છોડતાં શા માટે તમે અચકાઓ છો? સમુદ્ર તરી ગયા પછી કિનારે આવીને ડૂબી જવાની ભૂલ શા માટે કરો છો? માટે, પરિગ્રહની પાળને તોડી રાખો, આત્મસરોવરમાંથી પાપનું પાણી ચાલ્યું જશે, તમે નિર્મળ બની જશો. त्यत्त्कपुत्रकलत्रस्य मूर्छामुक्तस्य योगिनः । चिन्मात्रप्रतिबद्धस्य का पुद्गलनियंत्रणा ।।६।।१९८ ।। અર્થ : જેણે પુત્ર અને સ્ત્રીનો ત્યાગ કરેલો છે, જે મમત્વથી રહિત છે અને જ્ઞાનમાત્રમાં આસક્ત છે, તેવા યોગીને પુદ્ગલનું બંધન શું હોય? વિવેચન : અલખનાં ગાન ગાતો... ભૌતિક સુખોથી બેપરવાહ યોગી શું કોઈનું બંધન સ્વીકારે? એ તો નિબંધન નિર્મુક્ત રહી આત્મજ્ઞાનના સંગમાં લયલીન હોય. જોગી! તારા જોગને સંભાળ. જોગ ઉપર ભોગની શેવાળ તો ચઢી ગઈ નથી ને? જોગ પર ભોગની ભૂતાવળે ભરડો લીધો નથી ને? નહીંતર તેં કરેલો ત્યાગ એળે જશે. તેં સ્ત્રીના સુખનો ત્યાગ કર્યો, તેં પુત્ર-પુત્રીના સુખનો ત્યાગ કર્યો, તેં બંગલા-મોટરોની લાલસા ત્યજી દીધી. તેં ગાદીતકિયા અને મુલાયમ બિછાનાઓનું શાતાસુખ ત્યજી દીધું... ભલા, હવે તારા માટે “આ મારું' એવું શું છે? તેં સર્વ મમત્વને તોડી નાખ્યું... તારા પર હવે કોઈ જડચેતન પદાર્થનું આધિપત્ય ન હોઈ શકે. ' જોગી, તારી ચેતના જાગ્રત થઈ છે, તેં પરિગ્રહના પથ્થરોને ઊખેડીને ફેંકી દીધા છે, હવે તારા પર પુદ્ગલનો પ્રભાવ ન હોઈ શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ-કોઈનું બંધન તારા પર ન હોઈ શકે. ચેતના-શક્તિ કોઈ બંધનને સ્વીકારતી નથી. જબરજસ્તીથી કોઈ એના પર નિયંત્રણ મૂકી શકતું નથી. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy