SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩oo. જ્ઞાનસાર કરે છે, ત્યાગ કરીને જે નિર્મમ અને નિરહંકાર બની આ પૃથ્વીતલ પર વિચરે છે. આવો ત્યાગી યોગી જ વંદનીય છે, જેને વંદવાથી, સેવવાથી કર્મનો ક્ષય થાય, દોષોનો નાશ થાય, ગુણોનો આવિર્ભાવ થાય. ધન-સંપત્તિ વગેરે બાહ્ય પરિગ્રહ છે. મિથ્યાત્વ-અવિરતિ વગેરે આવ્યંતર પરિગ્રહ છે. આ બંને પરિગ્રહનો ત્યાગ યોગી તૃણની જેમ કરે, કચરાની જેમ કરે... ઘરમાંથી કચરો બહાર ફેંકી દેનારને કચરાના ત્યાગનો ગર્વ નથી હોતો... ફેંકી દેવા જેવી વસ્તુ ફેંકી દીધી; તેના પર ગર્વ શાનો? જેમ કચરો સંગ્રહ કરવાની વસ્તુ નથી, તેમ પરિગ્રહ સંગ્રહ કરવાની વસ્તુ નથી. એ ત્યાગ કરવા યોગ્ય વસ્તુ છે... કચરો સમજીને ત્યજી દીધેલા પદાર્થો તરફ પુનઃ આકર્ષણ થતું નથી કીમતી સમજીને ત્યજી દીધેલા પદાર્થો તરફ પુનઃ પુનઃ આકર્ષણ-મમત્વ થયા વિના રહેતું નથી. લાખો કરોડોનો વૈભવ ત્યજી દીધો... મેં વિશાળ પરિવારનું સુખ ત્યજી દીધું...મહાન ત્યાગ કર્યો છે!' જો આ વિચાર આવ્યો તો સમજવું કે તૃણવત્ ત્યાગ નથી કર્યો. આ રીતે કરેલા ત્યાગની પાછળ ઉદાસીનતા નથી આવતી, ત્યાગી કદીય પોતાને ત્યાગનાં ગાણાં ન ગાય, અરે! મનમાં ય પોતાના ત્યાગનું મહત્ત્વ ન આંકે. શાલિભદ્ર ૩૨ સ્ત્રીઓનો અને નિત્ય-નવી નવ્વાણું પેટીઓનો ત્યાગ કર્યો... તૃણવતુ એ ત્યાગ હતો.. તો વૈભારગિરિ પર વંદનાર્થે આવેલી માતા અને સ્ત્રીઓના સામે પણ ન જોયું.. ઉદાસીનતાને ધારણ કરી સનતકુમારે ચક્રવતપણાનો ત્યાગ કર્યો. છ મહિના સુધી પાછળ પાછળ આવતાં માતાપિતા અને લાખો રાણીઓ સામે ફરીને નજર પણ ન કરી! ઉદાસીનતાને ધારણ કરતા આગળ વધ્યા. બાહ્ય પરિગ્રહના ત્યાગ સાથે આવ્યંતર પરિગ્રહનો ત્યાગ થવો જોઈએ. તો જ ઉદાસીનતા આવે..નિર્મમભાવ પ્રગટે. જો આત્યંતર પરિગ્રહ-મિથ્યાત્વ અને કષાયને ફેંકી ન દીધા તો પુન: બાહ્ય પરિગ્રહની લાલસા જાગવાની.. એટલું જ નહીં, મનુષ્યજીવનના પરિગ્રહ કરતાં અનંત ઘણો દૈવી સુખોનો પરિગ્રહ મેળવવાની તૃષ્ણા જાગવાની. મનુષ્યજીવનનાં સુખોનો ત્યાગ કરી, દેવલોકનાં સુખો મેળવવા માટે For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy