SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્ર ૨૯૩ આત્માના પ્રદેશ પ્રદેશે તેની ખરાબ અસરો વ્યાપી ગઈ છે, તેને દૂર કરવા ઉપવાસ ઘણા કરવા પડશે, શાસ્ત્રની નીક દ્વારા ધર્મ-બગીચાને નિરંતર સીંચવો પડશે, નહિતર સુકાઈ જતાં વાર નહીં લાગે. શાસ્ત્રનું અધ્યયન શા માટે કરવાનું છે, એ તમે જાયું ને? આ બધાં લક્ષથી જો શાસ્ત્રનું અધ્યયન કરશો તો તમારા આત્માના દિદાર ફરી જશે. ઝેર ઊતરી જતાં તમને કેવો આનંદ થશે, તેની કલ્પના કરો. તાવ ઊતરી જતાં તમને કેવી પ્રસન્નતા થશે, તેનો ખ્યાલ કરો, બગીચો લીલોછમ બની જશે, તમને છાયા, ઠંડક અને સુવાસ આપશે. ઝેરરહિત બનીને, નીરોગી બનીને જ્યારે એ ધર્મ-ઉદ્યાનમાં તમે વિશ્રામ કરશો, ત્યારે દેવલોકના ઇન્દ્ર કરતાં પણ તમે ઉત્તમ સુખ અનુભવશો. - હા, ઝેર ચડ્યું હોય, તાવમાં શરીર બળતું હોય, ઉદ્યાનમાં તમને આનંદ ન આવે તો ઉદ્યાનની રમણીયતા તમને પ્રસન્ન નહીં કરી શકે, ઉદ્યાનનાં સુગંધી પુષ્પો તમને સુવાસિત નહીં કરી શકે, ઉદ્યાનનાં વિશ્રામસ્થાનો તમને આરામ નહીં આપી શકે. માટે “શાસ્ત્ર' કે જેના અર્થ ખુદ તીર્થકર ભગવંતે કહેલા છે ને જેને લિપિબદ્ધ શ્રી ગણધર ભગવંતે કરેલા છે, પૂર્વાચાર્ય ભગવંતોએ જેના અર્થોને લોકભોગ્ય બનાવેલા છે, તે શાસ્ત્રનું નિરંતર ચિંતન કરો. શાસ્ત્રસ્વાધ્યાય વ્યસનરૂપ બની જવો જોઈએ. એના વિના ચેન જ ન પડે. બધું મળે પણ શાસ્ત્રીસ્વાધ્યાય ન થાય ત્યાં સુધી અકળામણ રહે! પરંતુ જેમ જેમ શાસ્ત્ર સ્વાધ્યાય વધતો જાય, તેમ તેમ અજ્ઞાન, સ્વચ્છંદતા અને ધર્મહીનતા દૂર થતી જાય છે કે નહીં, તેનું ધ્યાન રાખજો. એ માટે જ શાસ્ત્રસ્વાધ્યાય કરવાનો છે, એ તમને સતત યાદ રહેવું જોઈએ. शास्त्रोक्ताचारकर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः। शास्त्रैकद्दम् महायोगी प्राप्नोति परमं पदम् ।।८।।१९२ ।। અર્થ : શાસ્ત્રમાં કહેલા આચારને પાળનાર, શાસ્ત્રને જાણનાર, શાસ્ત્રનો ઉપદેશ આપનાર અને શાસ્ત્રમાં એક દષ્ટિવાળા મહાન યોગી પરમ પદને પામે છે. વિવેચન : મહાયોગી! શાસ્ત્રોને જાણનારા હોય, શાસ્ત્રનો ઉપદેશ આપનારા હોય, શાસ્ત્રમાં પ્રતિપાદિત આચારોને સ્વજીવનમાં જીવનાર હોય. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy