SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૦ www.kobatirth.org शुद्धोञछाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् । । ६ । ।१९० ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન : એક મોટું જંગલ. જંગલમાં ભીલ લોકો વસે. તેમનો રાજા ભિલ્લરાજા કહેવાય. અર્થ : શાસ્ત્ર-અજ્ઞાની અપેક્ષારહિત-સ્વચ્છંદમતિને શુદ્ધ ભિક્ષા વગેરે બાહ્ય આચાર પણ હિતકારી નથી, જેમ ભૌતમતિને હણનાર ભૌતમતિના પગે સ્પર્શ કરવાનો નિષેધ કરવો. જ્ઞાનસાર ભિલ્લરાજાએ એક ગુરુ કર્યા. તેમનું નામ ભૌતમતિ, ભૌતમતિ જોગી પાસે એક સુંદર છત્ર હતું. મયૂરપિચ્છનું તે બનેલું હતું. કારીગરીનો એક નમૂનો જોઈ લ્યો! ભિલ્લરાજાની રાણીને એ છત્ર ખૂબ ગમી ગયું. તેણે રાજાને એ છત્ર લાવી આપવા કહ્યું. ભિલ્લરાજ તો ગયો ગુરુદેવ પાસે, 'ગુરુદેવ! આપનું છત્ર રાણીને ગમી ગયું છે. આપ તે આપો!' ‘ના, એ નહીં બને.’ ગુરુએ છત્ર આપવાની ઘસીને ના પાડી. ભિલ્લ૨ાજા ક્રોધે ભરાઈને ગયો. રાજસભામાં આવી સુભટોને આજ્ઞા કરી : ‘જાઓ, ભૌતમતિ ગુરુનો વધ કરી છત્ર લઈ આવો.' સુભટો રવાના થયા, પરંતુ તુરંત ભિલ્લરાજે બોલાવીને કહ્યું : ‘જો જો, ગુરુના પગ-ચરણ પૂજ્ય હોવાથી ત્યાં ઘા કરશો નહીં...' For Private And Personal Use Only સુભટોએ આજ્ઞા શિરોધાર્ય કરી. રવાના થયા. ગુરુની પાસે પહોંચી, દૂરથી તીરનો ઘા કરી, ગુરુને વીંધી નાખ્યા! ને છત્ર લઈ ભિલ્લ૨ાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું : ‘ગુરુદેવના ચરણે તો અડ્યા નહોતા ને?’ ના જી, અમે તો દૂરથી જ તીર મારીને વીંધી નાખ્યા!' ભિલ્લરાજાની ગુરુભક્તિ કેવી! શાસ્ત્રોની આજ્ઞા લોપીને ભલેને તમે શુદ્ધ ૪૨ દોષરહિત ભિક્ષા લઈ આવો, નિર્દોષ વસતિમાં ઊતરો, મહાવ્રતોને પાળો... પરંતુ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે આત્માને જ હણી નાખ્યો... આત્માને હણીને ગમે તેટલા બાહ્ય
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy