SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વસમૃદ્ધિ ૨૩૩ અનેક દૃષ્ટિએ ચઢિયાતી છે. ગુણસૃષ્ટિના સર્જનમાં કોઈ બાહ્ય કારણની અપેક્ષા જ નહીં. બાહ્ય દુનિયાના સર્જનમાં કેટલું પરાશ્રયીપણું! એક મકાન બનાવવામાં, એક સ્ત્રી મેળવવામાં, ધનસંપત્તિનો સંચય કરવામાં, સગાં-સ્નેહીઓ સાથે સંબંધ બાંધવામાં... આત્માથી ભિન્ન જડ-ચેતન પદાર્થો વિના ચાલે? એ પરપદાર્થો માટે કેટલા રાગ અને દ્વેષ કરવા પડે? સર્વ ઝઘડાઓ અને ક્લેશો પ૨પદાર્થોને લઈને છે. મનુષ્યની... જીવ માત્રની સુખદુ:ખની કલ્પનાઓ પણ આ પરપદાર્થોને લઈને જ છે... અને આ પરપદાર્થોની અપેક્ષા કેવી સુદૃઢ બની ગઈ છે કે સંસારમાં જીવ પરપદાર્થ વિના જીવી જ ન શકે! મુનિ જેમ જેમ સાધના-આરાધનાના માર્ગે આગળ વધે, તેમ તેમ પરપદાર્થોની સહાય લીધા વિના જીવન જીવવા પ્રયત્ન કરે. જેમ બને તેમ ઓછામાં ઓછા પરપદાર્થોની સહાય લે. સાથે સાથે આંતરિક ગુણસૃષ્ટિનું એવું સર્જન કરે છે કે જેમાં નિત્ય, સ્વાધીન અને નિર્ભય જીવન જીવી શકાય. એ સૃષ્ટિનો પ્રલય થવાનો ભય નહીં! બ્રહ્માની સૃષ્ટિને તો પ્રલયનો પણ ભય! પ્રલય એટલે સર્વનાશ! આ આત્મગુણોની સૃષ્ટિમાં જ્યારે જીવનનો આરંભ થાય ત્યારે કોઈ પરપદાર્થની અપેક્ષા નહિ, સાવ નિરપેક્ષ જીવન. એટલે રાગદ્વેષ નહીં, એટલે ઝઘડા કે ક્લેશ નહીં! એટલે સુખદુઃખનાં ક્રંધ્ર નહીં! બ્રહ્માની સૃષ્ટિ કરતાં મુનિરાજની સૃષ્ટિ કેટલી બધી ચઢિયાતી, દિવ્ય અને ભવ્ય હોય છે! એ સૃષ્ટિમાં એટલી બધી સમૃદ્ધિ... અનંત સમૃદ્ધિ ખડકાયેલી હોય છે કે જીવને પૂર્ણ તૃપ્તિ થઈ જાય. મુનિરાજ! તમે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા કરતાં પણ મહાન છો! બ્રહ્માની દુઃખ, વેદના અને ત્રાસપૂર્ણ દુનિયા કરતાં તમે કેવી અનુપમ સુખ, આનંદ અને પૂર્ણ સ્વાતંત્ર્યવાળી ગુણસૃષ્ટિની રચના કો છો? કહો, હવે તમને તમારી મહત્તા, સ્થાન અને શક્તિનો ખ્યાલ આવ્યો? હવે તો તમને કોઈ વાતે ઓછું નહીં આવે ને? અને આ કોઈ કલ્પિત...મનઘડંત વાત નથી; આ તો નિર્ભેળ સત્ય હકીકત છે. તમે આ હકીકતને ખૂબ ગંભીરતાથી વિચારજો, ને આત્મસાત્ કરજો. ગુણસૃષ્ટિનું સર્જન કરવા તમે ઉત્તેજિત થશો અને આ કલ્પિત સૃષ્ટિરચનામાંથી મુક્ત બનશો. रत्नैस्त्रिभिः पवित्रा या स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी ||८ । १६० ।। અર્થ : જેમ ત્રણ પ્રવાહો વડે પવિત્ર ગંગા છે, તેમ ત્રણ રત્ન વડે પવિત્ર તે For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy