SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ સાનસાર મુનિ નિર્ભય રહી શકે, જ્ઞાનદષ્ટિના સાંનિધ્યમાં જ આત્માનંદની અનુભૂતિ થઈ શકે. જ્ઞાનદષ્ટિ એટલે જ્ઞાનની દૃષ્ટિ. સમ્યગુજ્ઞાનની દૃષ્ટિ. જગતને, જગતના પદાર્થોને, જગતના પ્રસંગોને અને જે કંઈ જોવા-વિચારવાનું તે સમ્યગુ જ્ઞાનની દૃષ્ટિથી જોવાનું-વિચારવાનું. અનાદિકાળથી જીવને જોવાની-વિચારવાની આ દૃષ્ટિ પ્રાપ્ત નથી થઈ; તેથી તે જે જુએ છે, જે વિચારે છે, તે રાગદષ્ટિ યા દ્વેષ દૃષ્ટિથી! તેથી તે કર્મબંધનોથી બંધાય છે. જ્ઞાનદૃષ્ટિમાં નથી થતો. રાગ કે નથી થતો કેષ! જ્ઞાનદષ્ટિ એટલે મધ્યદષ્ટિ. જ્ઞાનદષ્ટિ એટલે યથાર્થદષ્ટિ. અનાદિકાલીન અજ્ઞાન ધોરણો, મલિન વલણો અને મિથ્યા વાસનાઓને સહારે જગતને જોવામાં, વિચારવામાં ભય જ રહે; નિર્ભયતા પ્રાપ્ત ન થાય. દા.ત. “શરીરમાં કોઈ રોગ થયો'-આ એક જગતની ઘટના બની. આ ઘટનાને અજ્ઞાન ધોરણોથી જોનારો ભયભીત થઈ જવાનો. મલિન વલણોવાળો એ રોગોને અયોગ્ય ઉપાયોથી દૂર કરવાના પ્રયત્નોમાં લાગી જવાનો. મિથ્યા વાસનાઓથી ઘેરાયેલો એ શરીરના રોગની જ ચિંતામાં પડી જવાનો! ભયરૂપી સપ એના મન-ચંદનનાં આનંદવૃક્ષોને વીંટાઈ જવાના! મન-વનમાં ભયસર્પો ઊભરાઈ જવાના. પણ જ્યાં મયૂરીનો ટહુકાર થાય, જ્ઞાનદષ્ટિ મન-વનમાં પ્રવેશે, ભયસાપોલિયાના સાંધા ઢીલાઢસ થઈ જાય! જ્ઞાનદૃષ્ટિ, શરીરના રોગોનો હુમલા સમયે, શરીરની નશ્વરતા, રોગ-પ્રચુરતા અને પરિવર્તનશીલતા બતાવે છે. સાથે, આત્મા અને શરીરનો ભેદ સમજાવે છે. આત્માની શાશ્વતતા, સંપૂર્ણ નીરોગિતા અને આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ નિર્દેશ કરે છે. “રોગનાં કારણો પાપકર્મ છે' - એમ કહી પાપકર્મોને દૂર કરવાનો પુરુષાર્થ કરાવે છે. સનતકુમાર ચક્રવતીના શરીરમાં એક સાથે સોળ રોગ (મતાંતરે સાત મહારોગ) ઉત્પન્ન થઈ ગયા હતા. ચક્રવર્તીના મન-વનમાં જ્ઞાનદૃષ્ટિરૂપી મયૂરીના ટહુકાર થતા હતા. એમણે સર્વ રોગનું મૂળ કારણકર્મોને કાઢવા પુરુષાર્થ કર્યો. સાતસો વર્ષ સુધી કર્મો સામે ઝઝુમ્યા. જ્ઞાનદષ્ટિએ તેમને નિર્ભયતા આપી, પ્રસન્નતા આપી. આપણા મનવનમાં જ્ઞાનદષ્ટિરૂપી મયૂરી ટહુકતી જ રહે એમ કરવું જોઈએ. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy