SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कर्म जीवं च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् । વિમિત્રી તે ચોડમાઁ મુનિર્દેશો વિવેવાન્ ||૧||9|| અર્થ : હંમેશાં દૂધ અને પાણીની પેઠે મળેલા કર્મ અને જીવને જે મુનિરૂપ રાજહંસ ભિન્ન કરે છે, તે વિવેકનંત છે. વિવેચન : જીવ અને અજીવનું જે ભેદજ્ઞાન તે વિવેક. કર્મ અને જીવ એકબીજા સાથે દૂધ અને પાણીની જેમ એકમેક છે. અનાદિ કાળથી એકમેક છે; તેમને તેમનાં લક્ષણો દ્વારા ભિન્ન સમજવાં, તે વિવેક છે, કારણ કે અનાદિ કાળથી જીવ, કર્મ અને જીવને અભિન્ન માનતો આવ્યો છે અને તેથી તે અનંતકાળ સંસારમાં ભટક્યો છે. સંસારમાં ભટકવાનું ત્યારે મટે કે જ્યારે જીવ અને અજીવના વિવેકથી આત્માને સર્વ પરભાવોથી ભિન્ન જાણે. अहमिक्को खलु सुद्धो दंसण - णाणमइओ सदारुवा । वि अस्थि मज्झ किञ्चि वि अण्णं परमाणुमित्तंपि ।। ३८ ।। જ્ઞાનસાર समयसार અવિદ્યાથી મુક્ત આત્મા પુદ્ગલથી ભિન્ન આત્માનું દર્શન કરે. ‘હું ખરેખર એક છું, શુદ્ધ છું; દર્શન-જ્ઞાનમય છું, સદા અરૂપી છું, બીજું કંઈ પરમાણુ માત્ર પણ મારું નથી.’ For Private And Personal Use Only - જેમ કોઈ મનુષ્યની મુઠ્ઠીમાં સોનાનો ટુકડો હોય... પરંતુ તે ભૂલી ગયો હોય કે ‘મારા હાથમાં સોનાનો ટુકડો છે', અને તેને યાદ આવી જતાં તે પોતાના હાથમાં સોનાના ટુકડાને જુએ છે, તેવી રીતે જ મનુષ્ય અનાદિ મોહરૂપ અજ્ઞાનની ઉન્મત્તતાથી પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો, તેને ભવવિરક્ત સદ્ગુરુનો સમાગમ થતાં, ગુરુના નિરંતર ઉપદેશથી ભાન થયું : ‘હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું...મારા પોતાના જ અનુભવથી મને પ્રત્યક્ષ જણાય છે. ચિત્માત્ર આકારના લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તમાન વ્યાવહારિક ભાવોથી ભિન્ન નથી થતો, માટે હું એક છું. નર-નારક આદિ જીવના વિશેષ પર્યાયો, અજીવ, પુણ્ય-પાપ, આસવ-સંવર, નિર્જરા...બંધ મોક્ષ-આ વ્યાવહારિક નવ તત્ત્વોથી, હું જ્ઞાયક સ્વભાવરૂપ ભાવના કારણે અત્યંત ભિન્ન છું માટે હું શુદ્ધ છું. હું ચિન્માત્ર છું. સામાન્યવિશેષાત્મકતાનું અતિક્રમણ નથી કરતો, તેથી દર્શન-જ્ઞાનમય છું. સ્પર્શ, * જુઓ પરિશિષ્ટ ૧૩.
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy