SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ જ્ઞાનસાર માટેના પ્રયત્નમાં આપણે શૂન્ય છીએ. જ્ઞાનવાળાનું પતન થઈ શકે, જ્ઞાનદૃષ્ટિવાળાનું પતન કદી ન થાય...હા, જ્ઞાનદષ્ટિ ખુલ્લી હોવી જોઈએ. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું... પરપુગલોથી હું ભિન્ન છું'-આવું જ્ઞાન માત્ર હોય છે ત્યારે પરપુગલોનાં આકર્ષણ, પરપુગલોનું ગ્રહણ અને ઉપભોગ.. વગેરે પુગલભાવોના ચાળા જીવનમાં ચાલુ રહે છે. પુલનિમિત્તક રાગદ્વેષ અને મોહના કીડા નિરંતર ચિત્તને કોચતા રહે છે. પરંતુ જ્ઞાનદૃષ્ટિ આવ્યા પછી પુગલના ગમે તેવા રૂપ..રસ..ગંધ અને સ્પર્શ આત્મામાં રાગ-દ્વેષ અને મોહ પેદા કરી શક્તો નથી. રાગના સ્થાને વિરાગ, દ્વેષના બદલે કરુણા અને મોહના સ્થાને યથાર્થદર્શિતા આવી જાય છે. જ્યારે જ્ઞાનદષ્ટિ ખુલ્લી ન હતી ત્યારે જે પુદ્ગલો જીવનમાં રાગ-દ્વેષ અને મોહ પેદા કરતાં હતાં, પરંતુ જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગયા પછી તેનાં તે યુગલો સામે આવવા છતાં રાગ-દ્વેષ અને મોહ જાગે નહિ! જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગયાની આ નિશાની છે. વિષયોમાં આકર્ષણ-ઉપભોગ અને કષાયોના ઉન્માદા જ્ઞાનદૃષ્ટિવાળા આત્મામાં ન રહે. તેમની પ્રત્યેક ક્રિયા રાગ-દ્વેષ અને મોહનો પ્રભાવોથી મુક્ત બની જાય છે. ક્રિયા તો એકની એક હોય, પરંતુ મોદૃષ્ટિનો પ્રભાવ તે ક્રિયાને ભવપતન તરફ લઈ જાય છે. જ્ઞાનદૃષ્ટિનો પ્રભાવ એ ક્રિયાને ભવવિસર્જન તરફ લઈ જાય છે. જ્ઞાનદષ્ટિવાળા પુદ્ગલ-પરાશમુખ સ્વભાવવાળા આત્માનું મૌન અનુત્તર હોય છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy