SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્લેપતા ૧૦૯ દ્વારા આત્મા વિષયકષાયાદિ પ્રમાદોથી બચી જાય છે. આ પ્રમાદઅવસ્થા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. “પ્રમત્તસંયત” ગુણસ્થાન સુધી પ્રતિક્રમણપ્રતિલેખન વગેરે બાહ્ય ક્રિયાઓ કરવાનું વિધાન છે. જ્યાં સુધી જીવ પ્રમાદસંયુક્ત હોય, ત્યાં સુધી નિરાલંબ (આલંબનરહિત) ધર્મધ્યાન ટકી શકતું નથી. આ વાત “ગુણસ્થાનક્રમારોહમાં કહી છે : यावत् प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति। धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिनभास्कराः ।।२६।। • Toથાનમારો અર્થાતુ જ્યાં સુધી વિષયકષાયાદિ પ્રમાદોનું જોર હોય છે, ત્યાં સુધી નિર્લેપજ્ઞાનની મગ્નતા આવી શકતી નથી. તેવી સ્થિતિમાં જો આવશ્યકાદિ છોડી દઈ નિશ્ચલ ધ્યાન ધરવા બેસી જાય તો “તો બ્રણ: તતો ભ્રષ્ટ:” જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. કેટલાક મનુષ્યો પ્રતિક્રમાદિ ક્રિયાઓમાં કંટાળવાથી તે છોડી દઈ નિશ્ચલ ધ્યાન ધરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેવા ધ્યાનથી ન તો તેમની વિષયકષાયની વૃત્તિ-પ્રવૃત્તિ મંદ પડે છે કે ન તો તેઓ આગળનાં ગુણસ્થાનો પર આરૂઢ થાય છે. આવા મનુષ્યો જૈનદર્શનની સૂક્ષ્મતાને સમજતા નથી. મિથ્યાકલ્પના પર તેઓ આગ્રહી બની વાસ્તવિક આત્મોન્નતિથી વેગળા રહે છે. માટે જ્યાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. એ ક્રિયાઓના આલંબને આત્મા પ્રમાદમાં પડતો બચી જાય છે. વિભાવદશાનું અજ્ઞાન તેના મનોમંદિરમાં પેસી શકતું નથી. “શ્રી ગુણસ્થાનક્રમારોહ –માં કહ્યું છે : तस्मादावश्यकैः कुर्यात् प्राप्तदोषनिकृन्तनम् । यावन्नाप्नोति सद्भयानमप्रमत्तगुणाश्रितम् ।।३१।। સાતમા ગુણસ્થાનના સમ્યગુ ધ્યાન-નિર્લેપજ્ઞાનમાં મગ્નતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ દ્વારા વિષય કષાયોના ઘસારાને અટકાવી તેને નષ્ટ કરી દો. લિપ્તતા-જ્ઞાન એટલે વિભાવદશા...કર્મજન્ય ભાવોમાં મોહિત થવાની અવસ્થા. તે લિપ્તતાજ્ઞાનનો પ્રતિઘાત-વિનાશ કરવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ જેવા યોગીપુરુષ આવશ્યક ક્રિયાઓનો પ્રબળ ઉપાય બતાવે છે. ૨. ગુણસ્થાનકોનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy