SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃપ્તિ ૯૯ ગુંજારવ શરૂ કરાવ્યો...કામોદ્દીપક વાતાવરણ સર્જી દીધું. સીતેન્દ્ર નવોઢા સીતાનું રૂપ ધારણ કર્યું. સેંકડો બીજી નવયુવતી સર્જી દીધી અને ભવ્ય નૃત્ય શરૂ કરી દીધું. સંગીતની દિવ્ય સૂરાવલી છેડી દીધી...રામચન્દ્રજીની સામે બે હાથ જોડી, કટાક્ષ કરતી સીતા વિનવવા લાગી : “નાથી અમારો સ્વીકારી કરો અને દિવ્ય સુખો ભોગવો... મારી સાથે આ સેંકડો વિદ્યાધર યુવતીઓના યૌવનનો રસાસ્વાદ અનુભવો...” નૂપુરના ઝંકારોથી સ્મરદેવતા રમણે ચડ્યા. પરંતુ એ સીતેન્દ્રનાં વચનોથી, એ દિવ્ય સંગીતથી અને એ રમણીય વસંસ્થી મહામુનિ રામચન્દ્રજી જરાય વિચલિત ન થયા. એ તો પરમ બ્રહ્મના રસાસ્વાદમાં પરમ તૃપ્તિ અનુભવી રહ્યા હતા... બસ, થોડી ક્ષણોમાં તેમનો આત્મા પરમ બ્રહ્મસ્વરૂપ બની ગયો... તેમને કેવળજ્ઞાન પ્રગટી ગયું. સીતેન્દ્ર માયાજાળ સંકેલી લીધી અને શ્રીરામના ચરણોમાં ભક્તિપૂર્ણ હૃદયે વંદના કરી કેવળજ્ઞાનનો મહોત્સવ કરી પ્રસન્નતા અનુભવી. विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः। ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरस्परा ।।७।७९ ।। અર્થ : પગલોથી નહિ ધરાયેલાને વિષયના તરંગરૂપ ઝેરનો ઓડકાર હોય છે. જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે. વિવેચન : પુદ્ગલના પરિભોગમાં તૃપ્તિ? અસંભવ વાત છે. ગમે તેટલાં પુદ્ગલોનો પરિભોગ કરો, અતુતિની આગ સળગતી જ રહેવાની. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે “અધ્યાત્મસાર'માં કેવી સયુતિક વાત કહી છે? : विषयैः क्षीयते कामो नेन्धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्ति-भूय: एवोपवर्धते ।। અગ્નિમાં ઈંધન નાખવાથી અગ્નિ શાંત નથી થતો, પરંતુ તેથી તો અગ્નિની શક્તિ વધે છે અને ભડકો મોટો થાય છે! એમ જગતના પૌદૂગલિક વિષયોના ઉપભોગથી તૃપ્તિ તો નથી થતી, પરંતુ અતૃપ્તિની આગ વધે છે. પુદ્ગલના અતિભોગથી. કે જે પુદ્ગલ-ભોજન, વિષ-ભોજન છે, તેના અતિરેકથી એવું અજીર્ણ થાય છે કે તેના સેંકડો વિકલ્પોરૂપ ઓડકારની પરંપરા ચાલે છે. કંડરિકે સાધુજીવનનો ત્યાગ કર્યો.. પુદ્ગલના પરિભોગ માટે અધીર બનેલો તે દોડતો રાજમહેલમાં આવ્યો. મનગમતાં માદક ભોજન ખાધાં. પેટ ભરીને ખાધાં. અકળાઈ ગયો. પછી પડ્યો પલંગમાં ને આળોટવા For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy