SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઝેરના આપણે સંગ્રાહક ? એમ તો ખિસકોલી પણ જમીન પર જ ચાલતી-દોડતી રહે છે અને સર્પ પણ જમીન પર જ ચાલતો-ભાગતો રહે છે. આમ છતાં આપણે ખિસકોલીથી બિલકુલ ડરતા નથી જ્યારે સર્પ દૂરથી પણ નજરે ચડી જાય છે અને આપણે ભાગી છૂટીએ છીએ. કારણ? એક જ. ઝેરનો સંગ્રહ કરવાનું કામ સર્પ કરતો હોય છે, ખિસકોલી નહીં. જવાબ આપો. અનંતજ્ઞાનીઓએ ક્રોધને, વૈરને અને હિંસાને ઝેરની ઉપમા આપી છે એ આપણા ખ્યાલમાં ખરું? સર્પના શરીરમાં સંગ્રહિત થયેલું ઝેર ગમે તેટલું કાતિલ હશે તો ય એ ઝેરથી સર્પ તો નથી જ મરતો જ્યારે જીભ પર પ્રગટ થતું ક્રોધનું ઝેર, મનમાં સંગ્રહિત થતું વૈરનું ઝેર, આંખમાં ઝબકતું હિંસાનું ઝેર તો એના સંગ્રહ કરનારને જનમોજનમ મારતું રહે છે એનો આપણને ખ્યાલ ખરો? જો હા, તો એ ઝેરના આપણે સંગ્રાહક નથી જ એનિશ્ચિત ખરું?
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy