SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બચવા માટે પણ રાત્રિ ભોજનથી બચવા જેવું છે. તમારા છેલ્લામાં છેલ્લા ગાંડપણ મુજબ ફેમિલી વકીલ અને ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી સાધુ પણ રાખો કે, જે તમને જીવનમાં માર્ગદર્શન આપે, અને પાપોમાંથી છૂટકારો અપાવે. આહારનો સંયમ તમને દીર્ધાયુ અપાવે છે એ સમજીને પણ રાત્રિ ભોજન છોડવા જેવું છે. પેટને નરમ રાખો, પગને શ્રમ દ્વારા ગરમ રાખો, માથાને ક્ષમા દ્વારા ઠંડુ રાખો, તો કદી ડોક્ટરની જરૂર નહીં પડે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. પૂ. આચાર્ય ભગવંત શ્રી પધસાગર સુરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી બોરીજ, ગાંધીનગર. તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ આજરોજ પૂજ્ય આચાર્ય ભગવંતનો ૭૧મો જન્મ દિવસ છે અને સંયમ પર્યાયના ૫૦ વર્ષ પૂરા કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે એકત્ર થયેલ વિશાળ મેદનીને સંબોધતા પૂજ્યશ્રીએ સૌને અંતઃકરણપૂર્વક મંગળ શુભકામના પાઠવી અને ધન્યવાદ આપ્યા હતા. પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે આપ સૌની શુભેચ્છા મારા સંયમને પુષ્ટ કરવાવાળી બને. આપની સદ્ભાવના મારા વિચારોમાં વૈરાગ્યનું પોષણ કરે, એવી પરમાત્માને પ્રાર્થના કરૂ છું. જીવન તો આજે છે ને કાલે ચાલી જવાનું છે. પરંતુ તે જતા પહેલા એની પાસેથી ઘણું કામ લેવાનું છે. માટે ઉઠો અને જાગૃત બનો. જાગૃતિમાં જ જીવનની પૂર્ણતા છે. પૂર્વના પુણ્યોદય અને સંસ્કાર લઈને આવ્યો હોઈશ ત્યારે પરમાત્માનું શાસન મળ્યું છે. પરમાત્માએ બતાવેલા માર્ગે ચાલવાનું પુણ્ય મળ્યું એને માટે સ્વયંને ધન્યવાદ આપું છું. પુણ્યના ઉદયથી મહાન ગુરૂ કેલાસસાગર સૂરીશ્વરજી મળ્યા છે. ૪૬ For Private And Personal Use Only
SR No.008904
Book TitleJivan Yatra No Rajmarg
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherVishwa Maitri Jain Tirth Borij
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy