SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીડાવ છો તો શું સ્થિતિ થાય? એવા વખતે ખાવા પીવામાં, વેપારમાં કે નોટો ગણવામાં આનંદ નહી આવે. વગર બોલાવ્ય મંદિર ને ઉપાશ્રયે જવા માંડશો. પણ તમે રોગમાંથી બચી નહી શકો. આવું થાય એના કરતાં પહેલેથી જ ચેતી જાવ. અપરાધી બનીને નહી પણ શાહુકર બનીને પરમાત્માના દરબારમાં જાવ.” “નાહ ની ભાવના રાખો.” “ઉંડાણથી વિચારો તો તમારો પરિવાર પણ તમારા માટે વૈરાગ્યનું કારણ બની શકે એમ છે. સંસારમાં અને પરિવારમાં પણ અપમાનના કેટલા બધા કડવા ઘૂંટ પીવો છો? અને છતાં સંસારમાં મઝથી પડ્યા રહો છો એ માટે સાધુએ તમને ધન્યવાદ આપવા કે દુઃખ વ્યક્ત કરવું? બધું સહન કરવા છતાં તમે સંસાર છોડતા નથી.” “એકવાર બ્રહ્માજી પાસે બળદ, કૂતરો અને માણસ ભેગા થઈ ગયા. એ બધાને બ્રહ્માજીએ ચાલીસ ચાલીસ વર્ષનું આયુષ્ય આપ્યું હતું. બળદ કહે છે કે આટલું બધું આયુષ્ય નથી જોઈતું, થોડું ઓછું કરી આપો. માણસ તો બાજુમાં જ હતો. સદાયની જેમ એ ભીખ માંગવાની વૃત્તિવાળો હતો. એણે કહ્યું કે બળદના ૨૦ વર્ષ મને આપી દો. બ્રહ્માજીએ બળદના ૨૦ વર્ષ માણસને ઉમેરી આપ્યા. તો પછી કૂતરાનો વારો આવ્યો. કૂતરો પણ કહે કે આ માણસ જાત બહુ ગદ્દાર છે. મને એટલા બધા વર્ષ માણસોની સાથે રહેવું નહી ફાવે. મને પણ થોડા વર્ષ ઓછા કરી આપો. બ્રહ્માજીએ એના પણ ૨૦ વર્ષ લઈ લીધા અને માણસની પુરાની માંગવાની આદત માન્ય રાખીને માણસના આયુષ્યમાં બીજા વીસ વર્ષનો વધારો કરી આપ્યો. સમજી ગયા ને? માણસની જાત તો જૂઓ. ચાલીસ વર્ષ તો યુવાનીમાં વેડફી નાંખે છે. પછી ચાલીશથી સાંઈઠ વર્ષની ઉંમરે બળદની જેમ મજૂરી કરે છે. સાંઈઠ પછી યાદ શક્તિ ઓછી થાય છે, શરીર ક્ષીણ થાય છે. બધા ગાત્રો મંદ પડે છે, સંસ્કારનો અભાવ હોય છે. સામાન્યતઃ કૂતરો બારણા પાસે બેસે, એનું સ્થાન જ ત્યાં હોય. એમ સાંઈઠ પછી માણસનું સ્થાન ઘરના દરવાજે હોય છે. સમયે સમયે ત્યાં જમવાનું આવી જાય, બીજી કોઈ ટક ટક કરવાની નહી અને કરે તો પરિવારના અન્ય સભ્યો અપમાન કરીને બોલતી બંધ કરી દે. સંસાર તમને આટલું બધું શીખવે છે છતાં તમે એમાંથી કંઈ બોધપાઠ લેતા નથી અને સંસાર છોડતા નથી.” લગ્નમંડપમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય એવા પણ શાસનમાં દાખલા For Private And Personal Use Only
SR No.008904
Book TitleJivan Yatra No Rajmarg
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherVishwa Maitri Jain Tirth Borij
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy