SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉર. વજકર્ણ-મુક્તિ શ્રી રામચંદ્રજીએ દશાંગપુર તરફ પ્રયાણ કર્યું. સિંહોદરના ભયથી વજ કર્ણ મહાશ્રાવકને મુક્ત કરવાના મનોરથો કરતા શ્રી રામ દશાંગપુરના બહિર્ભાગમાં આવી પહોંચ્યા. ભગવંત ચંદ્રપ્રભસ્વામીના રમણીય પ્રાસાદને જોઈ સીતાએ જિનદર્શનની ભાવના વ્યક્ત કરી. શ્રી રામે સીતાજીની ભાવના વધાવી લીધી. સહુ ચંદ્રપ્રભ-પ્રાસાદે ગયાં. પરમાત્માનાં દર્શન કરી પ્રસન્નતા અનુભવી. સૂર્ય અસ્તાચળે હતો. શ્રી રામે નગરના બહિર્ભાગમાં રાત વ્યતીત કરવા વિચાર્યું. લક્ષ્મણજીએ સુયોગ્ય જગા શોધી લીધી અને રાત ત્યાં પસાર કરી. પ્રભાતે શ્રી રામે લક્ષ્મણજીને આદેશ કર્યો : લક્ષ્મણ, તું દશાંગપુરમાં પ્રવેશ કર અને રાજા વજ કર્ણને મળી તેની પરિસ્થિતિનો યથાર્થ ખ્યાલ કર.” શ્રી રામની આજ્ઞાને વધાવી લઈ લક્ષ્મણજીએ વિલંબ કર્યા વિના નગરમાં પ્રવેશ કર્યો. દિવસોથી દશાંગપુરને સિંહોદરે ઘેરી લીધેલું હતું. નગરના દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. નગરજનો ચિંતામગ્ન હતાં. તેમની ખુમારી તેમના મુખ ઉપર અને તેમની વાણીમાં તરવરતી હતી. લક્ષ્મણજી દશાંગપુરનું દર્શન કરતા કરતા રાજદ્વારે પહોંચી ગયા. રાજમહાલયના ગોખે બેઠેલા વજ કર્ણ રાજાએ લક્ષ્મણજીને જોયા. આ પુરુષ ઉત્તમ લાગે છે.” તેનું મન બોલી ઊઠ્યું. દ્વારરક્ષકો લક્ષ્મણજીને રોકટોક કરે તે પૂર્વે જ વિજ કર્ણ રાજા સ્વયં દ્વારે પહોંચી ગયા. “હે ભાગ્યવંત, દશાંગપુરનો સ્વામી આપનું સ્વાગત કરે છે. આપ પધારો.” લક્ષ્મણજીએ વજ કર્ણના તેજસ્વી દેહ પર દૃષ્ટિ નાખી. વજકણે લક્ષ્મણજીની ભવ્ય કાયા અને દેદીપ્યમાન મુખ જોઈ પ્રસન્નતા અનુભવી. લક્ષ્મણજીનો હાથ પકડી વજ કર્ણ રાજા મહેલમાં ગયો. લક્ષ્મણજીને સુયોગ્ય આસને બેસાડી કહ્યું : હે નરોત્તમ, આપ મારું ભોજન-આતિથ્ય સ્વીકારો.” “રાજન, આપનું સદ્વર્તન જોઈ મને આનંદ થયો છે. પરંતુ મારા માલિક બહિર્ભાગના ઉદ્યાનમાં રહેલા છે, તેમને ભોજન કરાવીને પછી હું ભોજન કરું છું.” બહુ સરસ. ઉત્તમ પુરુષો માટે એ જ સુયોગ્ય છે.' વજ ક પ્રસન્નવદને કહ્યું અને મોટો થાળ ભરીને સ્વાદુ ભોજન લક્ષ્મણજીને સુપ્રત કર્યું. લક્ષ્મણજી ભોજનનો થાળ લઈ શ્રી રામ પાસે આવ્યા. ત્રણેયએ ભોજન કર્યું. વજ કણે For Private And Personal Use Only
SR No.008900
Book TitleJain Ramayana Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy