SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૪ વન-મન પૂર્ણ કર્યું છે. ભરતને આપે રાજ્ય આપ્યું, એ ન સ્વીકારે તેથી આપનું વચન અધૂરું નથી રહેતું. હવે રામને બોલાવી લાવવા માટે સચિવોને અને સામન્તોને મોકલવા જોઈએ. રામ આવે એટલે રાજ્યાભિષેક કરી દેવાય અને આપની પ્રવ્રજ્યાની ભાવના પણ સફળ બને. કૈકેયીએ શ્રી રામને બોલાવી લાવવા માટે સૂચન કર્યું કે તરત જ મહારાજા દશરથે સચિવોને તથા સામંતોને બોલાવ્યા અને શ્રી રામ-લક્ષ્મણ અને સીતાને પાછાં લઈ આવવાની આજ્ઞા કરી. જ્યારે કેકેયીએ ભારત માટે રાજ્યની માગણી કરી હતી ત્યારે તેને કલ્પનામાં પણ ન હતું કે આવી પરિસ્થિતિ સર્જાશે. રામ વનવાસમાં જશે અને ભારત રાજ્ય નહીં સ્વીકારે તથા દશરથના ચારિત્ર-માર્ગમાં મોટું વિઘ્ન આવી પડશે! કકેયી એક સુયોગ્ય સન્નારી હતી. મહારાજા દશરથની એ ધર્મપત્ની હતી અને મહારાજા શુભમતિની સુપુત્રી હતી. ભારત માટે રાજ્ય માગવા પાછળ પણ કૈકેયીનો કોઈ દુષ્ટ ઇરાદો ન હતો. પતિ પણ ચારિત્રમાર્ગે જાય છે અને પુત્ર પણ ચારિત્ર લઈ લે, તો પછી મારા જીવનમાં કોણ? આ વિચારે તેને અકળાવી નાખી હતી. જો ભરત ચારિત્ર લેવા તત્પર ન થયો હોત તો કૈકેયી ભરતી માટે રાજ્ય ન માંગત. રામને વનની વાટે ન જવું પડત અને મહારાજા દશરથના ચારિત્રમાર્ગમાં વિપ્ન ઉપસ્થિત ન થાત. સચિવો અને સામંતોને તપાસ કરતાં ખબર મળી કે શ્રી રામ પશ્ચિમ દિશા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે; તેઓ પશ્ચિમ દિશામાં આગળ વધ્યા. થોડા દિવસોમાં જ તેઓ શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીનાં દર્શન પામી શકયા. શ્રી રામ, સચિવોના આગમનનું રહસ્ય પામી ગયા હતા. શ્રી રામે તેમનું ઉચિત સ્વાગત કર્યું. શ્રી રામને જંગલોમાં ફરતા જોઈ સચિવોની આંખમાં આંસુ ઊભરાયાં. થોડો સમય તેઓ કંઈ જ બોલી ન શક્યા. - શ્રી રામ એક ઘટાદાર વૃક્ષના અધો ભાગમાં પથ્થરની શિલા પર બેઠેલા હતા. લક્ષ્મણજી તેમની પાછળ ઊભેલા હતા, જ્યારે સીતાજી અભ્યાગતો માટે ફળોને કાપી રહ્યાં હતાં, સચિવો અને સામતો શ્રી રામની સામે ગોઠવાઈ ગયા હતા; શ્રી રામના મુખ પર પ્રસન્નતા છવાયેલી હતી. જ્યારે સચિવો અને સામંતોનાં મુખ પર ગંભીર ગ્લાનિ હતી અને તેઓ મુખ નીચું કરીને બેઠા હતા. ફલાહાર અને જલપાન કરીને મુખ્ય સચિવે વાત આરંભી. સ્વામિનું, આપને અયોધ્યા લઈ જવા માટે જ અમને તાતપાદે આપની પાસે મોકલ્યા છે. આપ કૃપા કરીને અયોધ્યા પધારો.” “મહામંત્રી, તાતપાદની આજ્ઞાથી તમે અહીં આવ્યા છો, તે તમારું કર્તવ્ય For Private And Personal Use Only
SR No.008900
Book TitleJain Ramayana Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy