SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ દશરથ છે.' દ્વારપાલ મહારાજાના હાથમાં મુદ્રિકા આપી.' જનકે મુદ્રિકાને દીપકના પ્રકાશમાં જોઈ.. તે સહસા ઊભો થઈ ગયો. “ક્યાં છે એ યોગી?' રાજમહેલના દ્વારે. જનક ત્વરાથી શયનગૃહની બહાર નીકળી દોડતો બહાર ઊભેલા યોગીને હર્ષથી ભેટી પડ્યો. ધારરક્ષકોના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. યોગીનો હાથ પકડી જનક મહેલમાં ચાલ્યો ગયો. રાજન, અહીં વિશેષ સમય વ્યતીત કરવાનો નથી, જે કામ કરવાનું છે તે વિના વિલંબ થઈ જવું જોઈએ. યોગીવેશમાં રહેલા દશરથે મણિમય આસન પર બેસી જનકને કહ્યું. પરંતું મહારાજ, આપનો આ વેશ જોઈ મને કુતૂહલ થાય છે!' જનકે દશરથના યોગીવેશને જોઈને આશ્ચર્ય વ્યકત કર્યું. "કુતૂહલ હમણાં શમી જશે, જ્યારે મિથિલાપતિ પણ આ યોગવેશ પરિધાન કરશે.” દશરથે હસતાં હસતાં જનકને કહ્યું. અને જનકને ઇશારો કરી એકાંતમાં જવાનું જણાવ્યું. બંને રાજા ત્યાંથી ઊઠ્યા અને ગુપ્ત મંત્રણાસ્થાનમાં પહોંચ્યા. ‘રાજન, નારદજી અહીં આવી ગયા.?” હા. બધી વાત સાંભળી?' ધ્યાનપૂર્વક.” “શું વિચાર્યું?” બિભીષણનો મુકાબલો કરવાનું.” ઠીક નથી.' કેમ?' જીવસંહાર અને અંતે પરાજય. લંકાપતિ પ્રતિવાસુદેવ છે. તેનું બળ અજેય છે, તેની સાથે બળથી નહિ પરંતુ બુદ્ધિથી કામ લેવું જોઈએ.” જનક વિચારમાં પડી ગયો. રાજન, વિચારવાનો અત્યારે સમય નથી, હું કહું તેમ કરવાનું છે.” દશરથે મિત્રતાનો અધિકાર ધરાવતાં કહ્યું. For Private And Personal Use Only
SR No.008900
Book TitleJain Ramayana Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy