SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ એક રાત અનેક વાત તરત જ પ્રભવે એ લોકોને ભેગા કર્યા. તેમને પૂછ્યું. તમારે અહીં રહેવું છે કે જયપુર જવું છે?' સરદાર, જેમ આપ કહો તેમ કરીએ... આપ તો અમને છોડીને જવાના...” અને વૃદ્ધ સ્ત્રી-પુરુષો રડી પડ્યાં. મને એમ લાગે છે કે તમે જયપુર જાઓ તો સારું. ત્યાં આ મારો નાનો ભાઈ તમારી સંભાળ રાખશે.” “અમે જયપુર જઈશું.” સહુએ હા પાડી. પ્રભુને આનંદ થયો. પ્રભાવે પ્રભુને કહ્યું : આ કુખ્યાત પલ્લી જ અહીંથી ઊઠી જશે... લોકો નિર્ભય બની જશે.' લોકોના આશ્ચર્યનો પાર નહીં રહે મોટાભાઈ!' પહેલાં તો લોકો માનશે જ નહીં કે પ્રભવ અને એના ૪૯૯ સાથી સાધુ બને છે! ક્યાંથી માને? ડાકુ સાધુ બને-એ વાત સેંકડો વર્ષોમાં એકાદ વાર બનતી હશે...” બન્ને ભાઈ મૌન થઈ ગયા. પ્રભુ વિંધ્યાચલની તળેટીમાં વસેલી પલ્લીને જોઈ રહ્યો. એ પ્રદેશને જોઈ રહ્યો. “કેટલો સુંદર પ્રદેશ છે આ! આ પહાડી પ્રદેશ... આ વૃક્ષઘટાઓ... આ વહેતાં ઝરણાં.. મુક્ત મને વિહાર કરતાં પશુઓ.. હવે આ પલ્લી ઊઠી જશે... પરંતુ પલ્લીનો રોમાંચક ઇતિહાસ જળવાઈ રહેવો જોઈએ. અહીં એવું કાંઈક બનવું જોઈએ કે જે પ૦૦ ડાકુઓના અપૂર્વ જીવન પરિવર્તનની સાક્ષી બની રહે. ઉન્માર્ગે ગયેલાઓને સન્માર્ગે આવવાની પ્રેરણા મળે.' “પ્રભુ!” જી, મોટાભાઈ...” કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો! “હા... આ પ્રદેશ મને ખૂબ ગમી ગયો. અહીં કાંઈક કરવાનો વિચાર આવી ગયો.' શું કરવું છે?' “ભવ્ય સ્મારક!” કોનું?” For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy