SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૭ - પુત્રનો પૂર્વજન્મ જોયો. - પાડાનો પૂર્વજન્મ જોયો. – કૂતરીનો પૂર્વજન્મ જોયો! www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક રાત અનેક વાત નિર્વેદથી તેમનું મન ભરાઈ ગયું. સંસારના સંબંધોની વિચિત્રતાથી તેમનું મન વૈરાગ્યથી છલકાઈ ગયું. તેઓ ઘર છોડીને આગળ ચાલ્યા. મહેશ્વર દોડી આવ્યો. તેણે મુનિરાજને પૂછ્યું : ‘મહાત્મન્, આપ મારા ઘરેથી ભિક્ષા લીધા વિના કેમ ચાલ્યા?' મુનિરાજે કહ્યું : ‘અમે માંસાહારીના ઘરેથી ભિક્ષા લેતા નથી. એટલું જ નહીં, બીજું પણ એક રહસ્યમય કારણ છે.' ‘શું કારણ છે એ મહાત્મન્’ ‘તારે જાણવું છે?’ ‘હા જી, મારે જાણવું છે...’ તો સાંભળ, તારી પત્નીના પ્રેમીને તેં માર્યો હતો, તે મરીને આ તારો પુત્ર થયો છે. - તું જે પાડાનું માંસ ખાય છે, એ પાડો તારો પિતા હતો. અને આ કૂતરી તારી માતા હતી! તને જો આ વાતો પર વિશ્વાસ ન થતો હોય તો આ કૂતરી, તારા ઘરમાં દટાયેલા ધનની જગા બતાવશે!’ કૂતરીએ જગા બતાવી. મહેશ્વરે એ જગાએ ખોદ્યું તો ધન મળી આવ્યું. મહેશ્વર મહાત્મા સામે જોઈ રહ્યો ને બોલ્યો : ‘હે મહાત્મનૂ, આપે કહેલી રહસ્યભૂત વાતોને હું માનું છું... આ સંસાર ૫ર મને વૈરાગ્ય થયો છે. ધિક્કાર છે... આ બધાં વૈયિક સુખોને અને કપટભર્યા બધા સંબંધોને. મને આપનાં ચરણોની સેવામાં લઈ લો ગુરુદેવ.. હું આ જ ક્ષણે આ ઘરનો ત્યાગ કરું છું.’ જંબૂકુમાર પ્રભવને કહે છે : 'મિત્ર, મહેશ્વરે સાધુતા સ્વીકારી. મરીને તે દેવલોકમાં દેવ થયો. કહે, તેને દેવભવ કોણે આપ્યો? પુત્રે કે ધર્મે? ધર્મથી જ જીવ સદૂગતિ પામે છે. ધર્મ જ જીવને દુર્ગતિમાં પડતો બચાવે છે. પુત્ર, પત્ની, માતા, પિતા વગેરે નથી તો જીવને દુર્ગતિથી બચાવી શકતાં કે નથી સદ્ગતિમાં લઈ જતાં... હવે તને મારો ત્યાગનો સંકલ્પ જચે છે?' For Private And Personal Use Only પ્રભવે કહ્યું : ‘કુમાર તારી વાતોએ મને ગંભીર વિચારમાં નાંખી દીધો છે. તારી વાત સાચી લાગે છે.’
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy