SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ સ્વભાવ બદલ્યા વિના પ્રભાવ વધારતા રહેવાની ઇચ્છા, માત્ર જાતને માટે જ નહીં, જગતને માટે પણ નુકસાનકારક જ બની રહેવાની છે એ સતત આંખ સામે રાખજો, ૧૧૮ ધન ન મળવાના દુઃખ કરતાં ય વિપુલ ધન મળી ગયા પછી ય ‘સુખ’ ન મળ્યાનું દુઃખ કેવું હોય છે એ જાણવું હોય તો કોક અબજોપતિના મનની મુલાકાત લઈ જોજો. - નિયમ વર્તમાનપત્રોમાં આવતી ‘જાતીય સમસ્યાઓ' ની કૉલમ હું ક્યારેય વાંચીશ નહીં. 200 ૩૦ ૧૧૯ ન્યાય એ ગણિતની વાત છે. ત્યાં હૃદયને કોઈ સ્થાન નથી. સમાધાન એ હૃદયની વાત છે. ત્યાં ગણિતને કોઈ સ્થાન નથી. ૧૨૦ ફળ-ફૂલ ખરી ગયા પછી ય વૃક્ષને જમીન પર ટકી જવામાં જો વાંધો નથી આવતો તો સુખ-સગવડ ચાલ્યા ગયા પછી ય આપણને જીવનમાં ટકી રહેવામાં વાંધો શા માટે આવવો જોઈએ ? નિયમ પિક્ચર હું કદાચ જોઈ આવ્યો હોઈશ તો ય એની પ્રશંસા બીજા કોઈ પાસે તો હું નહીં જ કરું.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy