SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ શરીરમાં ફરતું લોહી જો હૃદય સુધી નથી પહોંચતું તો મોત નજીક આવી જાય છે. બુદ્ધિને જામતું સત્ય જો હૃદયને સ્વીકાર્ય બનતું નથી તો દુર્ગતિ નજીક આવી જાય એવી પૂરી સંભાવના છે. ૧૧૦ ‘ભૂલ જેટલા સમયની હશે, એટલા સમય જ એનું પરિણામ ભોગવવું પડશે' એવી ભ્રમણામાં મન રાચતું હોય તો એનાથી વહેલી તકે મુક્ત થઈ જજો. - નિયમ ટૅક્સીમાં, બસમાં, રિક્ષામાં, ઘોડાગાડીમાં મુસાફરી કરતી વખતે ભાવતાલ માટે રકઝક હું કરીશ નહીં. 200 ૧૧૧ સૌંદર્યસ્પર્ધાની બોલબાલાવાળા આ યુગમાં કદાચ થોડાંક વરસો બાદ પુરુષોને લાજ કાઢવાના દિવસો આવે તો ના નહીં. ૧૧૨ આપણા મનમાં ચાલતા વિચારો, પ્રભુને આપણા દ્વારા કરાતી પ્રાર્થનાને અનુરૂપ જ હોય છે એવું કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા? નિયમ લગ્નેતર સંબંધના આકર્ષક દેખાતા માર્ગ પર કદમ મૂકવાની ભૂલ હું ક્યારેય નહીં કરું.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy