SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ માનવહિંસા (૩) ઈ.સ. ૧૪૯૨ની સાલમાં છઠ્ઠા પોપ જ્યોર્જ બાર્ગીઓએ એક ફતવો (બુલ) બહાર પાડેલો અને તેમાં તેણે જણાવ્યું હતું કે, “આખા વિશ્વના હું બે ટુકડા કરું છું. તેમાંનો એક ટુકડો સ્પેનને અને બીજો પોર્ટુગલને ભેટ કરું છું.” બહુ નાનકડી અને સામાન્ય લાગતી આ વાતમાં જ બહુ મોટા માનવ-સંહારની આગનો તણખો પડેલો છે. ઈતિહાસનું આ સૌથી વધુ ભેદી પાનું છે. સૌથી મોટી ઘટના છે. શું ક્રિશ્ચિયન ધર્મગુરુ પોપ આ વિશ્વના માલિક હતા કે એમણે તેના બે વિભાગ કરીને તેની વહેંચણી કરી? ખેર.... વહેંચણી કરી એટલે જ માલિકી નક્કી થઈ ગઈ! “સબ ભૂમિ ગોપાલ (ભગવાન) કી” એ વાતનું એકાએક ભેદી રીતે ખૂન થઈ ગયું! આજે ગોરાઓએ આખા વિશ્વને પોતાનું માની લીધું છે. તેઓ તેનો સંપૂર્ણ કબજો લેવા માગે છે. તેમની ઉમ્મીદ છે કે વિશ્વમાં એક જ ધર્મ-ઈસાઈ રહેવો જોઈએ અને લાલ (રેડ ઈન્ડિયન્સ વગેરે) પીળી (જાપાનીઝ, ચીનાઓ વગેરે) કાળી (હિન્દુસ્તાની, આફ્રિકન વગેરે) ચામડીના વર્ણોને ખતમ કરીને એક જ ગોરો વર્ણ રહેવો જોઈએ. જો આમ થાય તો જ વિશ્વમાં શાંતિ-વિશ્વશાંતિ થાય. બધા ધર્મો રહે, બધી ચામડીઓ પણ રહે અને સહુ પોતપોતામાં રહીને સંપીને રહે તો ય વિશ્વશાંતિ થઈ શકે ખરી પરંતુ ગોરી પ્રજાને તેમાં જોખમ લાગે છે. તેઓ તો બાકીના બધાને સાફ જ કરી નાંખીને- “એક ધર્મ, એક વર્ણ દ્વારા વિશ્વશાંતિ લાવવા માગે છે. કૂતરો ખૂબ ભસતો હોય તો તેને ભોજન આપીને ય શાંત કરી શકાય અને ‘શૂટ' કરી નાંખીને પણ શાંત કરી શકાય. ગોરાઓ બીજા માર્ગેથી વિશ્વશાંતિ લાવવા માગે છે. ઈ.સ. ૧૪૯૨ની સાલથી આવી વિશ્વશાંતિ તરફ તેમણે ભેદી રીતે-દોસ્તીના દાવે આ વિશ્વશાંતિની દિશામાં પ્રયાણ શરૂ કરી દીધું છે. સો સો વર્ષોના તબક્કા વાર તેમનો આ દિશાનો કાર્યક્રમ આગળ ધપી રહ્યો છે.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy