SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ וד બાર પ્રકારની હિંસાઓ ૧૨૭ ખરાબ રહેવાનું નથી. બે દાયકા બાદ વળી પાછો સુવર્ણ-યુગ આવશે. તે વખતે આ વાતો વાસ્તવિક બની પણ શકશે. ઉપર જણાવેલાં તત્ત્વો, મોક્ષલક્ષી ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિના માળખામાં જડબેસલાક ગોઠવાએલાં હતાં એટલે જ આર્યાવર્તની મહાપ્રજા સુખશાંતિથી જીવતી હતી. બેશક, નિયતિ જ્યારે ત્રાટકી છે ત્યારે ઘણી બધી અંધાધૂંધી સર્જાઈ છે, શરમજનક બાબતો બની છે પરંતુ સામાન્યતઃ તો આ દેશની પ્રજા ખૂબ સારી રીતે જીવતી હતી. જ્યારે રોમ સાથે બ્રિટન લડતું હતું તે સમયમાં ભારત આવેલા કોઈ અંગ્રેજે આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું ભારતીય પ્રજાનું સર્વતોમુખી સુંદર વર્ણન કર્યું છે. તેણે કહ્યું છે કે, ‘ આ પ્રજાના શૈક્ષણિક, સામાજિક, રાજકીય, આર્થિક વગેરે તમામ સ્તરો એટલા બધા સમૃદ્ધ છે અને પ્રગતિશીલ છે કે તેમને આપણે કોઈ વાતની સલાહ આપવી તે આપણું નર્યું ગાંડપણ છે! આપણે જ તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે.' k આ દેશમાં લગ્ન સમયે ગોર મહારાજ કન્યાને આશિષ દેતા, ‘દીકરી! આઠ સંતાનોની માતા બનજે!- અષ્ટપુત્રાઃ સૌભાગ્યવતી ભવઃ’ આજે તો આ ભિખારી બનાવાયેલા ભારતમાં આ વાણી આશિષ નથી બનતી. અભિશાપ બની જાય છે. હાય! ઈ.સ. ૧૯૪૬ની સાલ સુધી પરદેશોમાં અનાજની નિકાસ કરતો દેશ હવે ‘બે બાળકો બસ!'ની બૂમો પાડતો ભિખારી બની ગયો છે! એના માથે વિદેશીઓનું એક હજાર કરોડ રૂ.નું દેવું છે. જેનું વ્યાજ ભરતાં જ તેના નાકે દમ આવી જાય છે! રાજા ૠષભે સહુને સંસ્કૃતિ આપીને ‘માણસ’ બનાવ્યા. તે પછી દીક્ષા લીધા બાદ, ભગવાન ઋષભદેવ બનીને તેમણે તે માણસોને ધર્મ સમજાવીને મોક્ષ પામવા તરફ આંગળી ચીંધણુ કર્યું... અને... કરોડો આત્માઓ—રાજાધિરાજો, મહારાણીઓ, ધનાઢ્યો, યુવાનો અને યુવતીઓ દીક્ષાના માર્ગે ચાલ્યા, જેનું સત્ત્વ ન પહોંચ્યું તેઓએ ભગવાન ઋષભદેવે બતાવેલો બીજા નંબરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો. તેટલા પણ સત્ત્વને નહિ આંબી શકેલા મોક્ષાર્થી જીવોએ ‘સમ્યગ્દર્શન’ સ્વીકાર્યું. કેટલાક લોકોએ માર્ગનુંસારિતાનો ધર્મ સ્વીકાર્યો. હા. આ ચારે ય અવસ્થાઓનું મૂળ પેલી મોક્ષલક્ષી ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિની વ્યવસ્થા હતી. આ વ્યવસ્થા ઉપર જ તે અવસ્થાઓનો જન્મ અને મસ્ત જીવન અવલંબિત છે. જેટલા અંશે વ્યવસ્થા તૂટે તેટલા અંશે ચારે ય અવસ્થાઓ
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy