SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થલીય અતિવ્યાપ્તિ દૂર કરવા માટે કહ્યું છે કે પ્રતિયોગીનું અનધિકરણ જે લેવાનું તે સાધ્યતાવચ્છેદકસંબંધથી લેવાનું. વદ્વિમાન ધૂમાત્ સ્થળે સાધ્યતાવચ્છેદક સંબંધ છે આ સંયોગસંબંધ છે. આ સંયોગસંબંધથી ઘટાભાવના પ્રતિયોગી ઘટ અને ઘટાભાવાભાવી આ બેયનું અનધિકરણ હત્યધિકરણ છે જ. સંયોગથી ઘટ પ્રતિયોગી તો પર્વતમાં છે જ નહિ અને જે બીજો ઘટાભાવાભાવ પ્રતિયોગી છે તે પર્વતમાં સ્વરૂપસંબંધથી રહ્યો છે. આ સંયોગસંબંધથી તો ઘટાભાવાભાવ સ્વરૂપ બીજો પ્રતિયોગી પણ હત્યધિકરણ પર્વતમાં કો નથી જ. આમ બન્નેય પ્રતિયોગીનું અનધિકરણ હે–ધિકરણ પર્વત બની ગયો તેથી કી પર્વતમાં ઘટાભાવ લઈ શકાય. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ બને, - સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ છે. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક બની િજતાં લક્ષણ-સમન્વય થઈ ગયો. આમ અસંભવ દોષ રહેતો નથી. આ પૂર્વપક્ષ ઃ ઘટાભાવના બધા પ્રતિયોગીનું અનધિકરણ હત્યધિકરણ બને તો જ હેતધિકરણમાં ઘટાભાવ લઈ શકાય. પણ જુઓ, જેમ ઘટાભાવના પ્રતિયોગી ઘટ અને એ ઘટાભાવાભાવ છે તેમ વહ્નિ (સાધ્ય) પણ છે. તે આ રીતે : ઘટાભાવમાં વહ્નિ નથી રહેતો માટે ઘટાભાવમાં વહુન્યભાવ છે. હવે એવો નિયમ છે કે જે અભાવનું અધિકરણ અભાવ હોય તે અભાવ અધિકરણસ્વરૂપ હોય. આ માં સમાવાથRUITમાવત્રિય ધરVIભવીત્ ! એટલે ઘટાભાવ એ જ વન્યભાવનું અધિકરણ છે માટે વન્યભાવ એ ઘટાભાવસ્વરૂપ છે. હવે જયારે તે % ઘટાભાવ અને વહુન્યભાવ, એ બે અભિન્ન થઈ ગયા ત્યારે જેમ ઘટાભાવનો પ્રતિયોગી જ જે ઘટ છે તેમ વહિં પણ છે જ. હવે સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધથી પ્રતિયોગીનું છે છે અનધિકરણ હત્યધિકરણ લેવાનું તમે કહ્યું તો ભલે તે સાધ્યતા વચ્છેદક સંયોગસંબંધથી છે આ ઘટાભાવના બે પ્રતિયોગી ઘટ અને ઘટાભાવાભાવનું હેત્વકિરણ અનધિકરણ છે, પણ ઘટાભાવનો જે ત્રીજો પ્રતિયોગી વહ્નિ છે તેનું તો સંયોગસંબંધથી હત્યધિકરણ પર્વત અધિકરણ જ છે. આ રીતે સદ્ધતક સ્થળે જેનો અભાવ લેશો તે અભાવમાં સાધ્યાભાવ જ લઈને તે બે અભાવને એકસ્વરૂપ કરીને અભાવનો પ્રતિયોગી સાધ્ય બનાવીશું. અને આ જ સાધ્યનું તો હેત્વકિરણ અધિકરણ જ બનશે એટલે ક્યાંય બધા પ્રતિયોગીનું અનધિકરણ જ એવું હેતૂધિકરણ બનશે જ નહિ. તેથી અસંભવ દોષ અપરિહાર્ય બની જાય છે. से मुक्तावली : यदि च घटाभावादौ वयभावादिभिन्न इत्युच्यते, तथाऽपि धूमाभाववान् वयभावादित्यादावव्याप्तिः, तत्र साध्यतावच्छेदकसम्बन्धः છે કે જે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૪૫) એ જ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy