SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્યો : નવ્યો તો કહે છે કે પ્રવૃત્તિ પ્રત્યે મમ વું હ્રતિમાધ્યમ્ એવું જ્ઞાન કારણ છે જ નહીં, કેમકે ભવિષ્યકાળમાં જે પ્રવૃત્તિ કરવાની છે તેમાં અત્યારે કૃતિસાધ્યતાનું જ્ઞાન થઈ જ શી રીતે શકે ? આમ ભવિષ્યકાલીન પ્રવૃત્તિમાં કૃતિસાધ્યતાનું જ્ઞાન જ ન થવાથી ક્યારેય કોઈ પ્રવૃત્તિ જ નહીં થવાની આપત્તિ આવશે. પણ પ્રવૃત્તિ તો થાય જ છે, તેથી ત્યાં કૃતિસાધ્યતા-જ્ઞાન કારણ નથી પણ કોઈ પુરૂષને અમુક વસ્તુ કૃતિસાધ્ય બની તેને જોઈને તેના જેવાપણાનું પોતાનામાં જ્ઞાન થતું પોતે પણ તે કાર્ય કરવા સમર્થ છે, અર્થાત્ ‘આ કાર્ય મારી કૃતિથી પણ સાધ્ય છે' તેવું પ્રતિસંધાન થવાથી તે પ્રવૃત્તિ કરે છે, અર્થાત્ કૃતિ-ઉત્પાદક જે સામગ્રી-વિશેષની જરૂર પ્રવૃત્તિ કરનારામાં દેખાતી હોય તેવી સામગ્રીવાળાપણાનું પોતાનામાં પ્રતિસંધાન થાય છે અને તેથી જ પ્રવૃત્તિ થાય છે. ‘ઓનું મમ મવતુ’ એવી ઈચ્છા વિશિષ્ટ (ઓદન) કૃતિસાધ્યતા-જ્ઞાનવાળો (અન્યદીય પાકવિશેષ્યક અન્યદીય કૃતિસાધ્યત્વપ્રકારક પ્રત્યક્ષાદિ પ્રમાવાળો) અને તે તે કે દ્રવ્યાદિ ઉપકરણવાળો પુરૂષ પાકમાં પ્રવૃત્તિ કરે છે તેમાં ‘પા: વૃતિમાધ્ય: વૃતિનિરૂપિતવિધેયતાશ્રયપા: પ્રમિત: તાદૃશામ્' એવું જ્ઞાન કારણ છે. द्रव्यादिसाधनसंपन्नो देवदत्तः पाकमकार्षीत्, तादृशसाधनसंपन्नोऽहं, तस्मात् अहमपि पाककृतिसाधकः । આમ બીજી વ્યક્તિ જે કૃતિ કરે છે તેના જેવા ઉપકરણોવાળો પોતે છે તેવું પ્રતિસંધાન થવાથી પ્રવૃત્તિ થાય છે તેમ નક્કી થયું. તેથી કૃતિસાધ્યતા-જ્ઞાનને કારણ ન મનાય. मुक्तावली : तन्न, स्वकल्पितलिप्यादिप्रवृत्तौ यौवने कामोद्भेदादिना संभोगादिप्रवृत्तौ च तदभावात् । इदं तु बोध्यम् - इदानीन्तनेष्टसाधनत्वादिज्ञानं प्रवर्तकम्, तेन भावियौवराज्ये बालस्य न प्रवृत्तिः, तदानीं कृतिसाध्यत्वाज्ञानात् । एवं तृप्तश्च भोजने न प्रवर्तते, तदानीमिष्टसाधनत्वाज्ञानात् । प्रवर्तते च दोषदूषितचित्तो विषादिभक्षणे, तदानीं बलवदनिष्टाननुबन्धित्वज्ञानात् । મુક્તાવલી : નૈયાયિક : ના, તમારી આ વાત બરાબર નથી, કેમકે પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ બીજાની પ્રવૃત્તિ જોઈને ‘હું પણ પ્રવૃત્તિ-યોગ્ય સાધનવાળો છું' એવું ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ૧ ૦ (૩૦)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy