SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જ વિશિષ્ટ જ્ઞાન જ કારણ તરીકે સિદ્ધ હોય તો સંવાદિપ્રવૃત્તિ પ્રત્યે વિશિષ્ટ જ્ઞાનને કારણ કે જે ભલે માનો, પણ વિસંવાદિપ્રવૃત્તિ (રંગમાં રજતની બુદ્ધિરૂપ) પ્રત્યે તો તમારે ભેદાગ્રહને આ જ કારણ માનવું જોઈએ. નૈયાયિક : સંવાદિપ્રવૃત્તિ પ્રત્યે વિશિષ્ટજ્ઞાનને અને વિસંવાદિપ્રવૃત્તિ પ્રત્યે જ ભેદાગ્રહને કારણે માનવામાં બે કાર્ય-કારણભાવ માનવા પડતા હોવાથી ગૌરવ છે. તેના પર આ કરતાં લાઘવાતું વિશિષ્ટજ્ઞાનને પ્રવૃત્તિમાત્ર પ્રત્યે કારણ માનવું જોઈએ. मुक्तावली : इत्थं च रङ्गे रजतत्वविशिष्टबुद्ध्यनुरोधेन ज्ञानलक्षणाप्रत्यासत्तिकल्पनेऽपि न क्षतिः, फलमुखगौरवस्यादोषत्वात् । किञ्च यत्र रङ्गरजतयोरिमे रजते रङ्गे वेति ज्ञानं जातं तत्र न कारणबाधोऽपि । अपि च * * यत्र रङ्गरजतयोरिमे रजतरते इति ज्ञानं तत्रोभयत्र युगपत्प्रवृत्तिनिवृत्ती * स्याताम्। रङ्गे रङ्गभेदग्रहे रजते रजतभेदग्रहे चान्यथाख्यातिभयात् त्वन्मते * दोषादेव रङ्गे रजतभेदाग्रहस्य रजते रङ्गभेदाग्रहस्य च सत्त्वात् । મુક્તાવલીઃ મીમાંસક રંગમાં રજતત્વ છે જ નહીં તો પછી રજતત્વવત્ રજતની બુદ્ધિ જ શી રીતે થશે ? આમ વિશિષ્ટજ્ઞાન રૂપ કારણ જ ન હોવાથી રંગમાં રજતની બુદ્ધિ શી રીતે થશે ? નૈયાયિક : જયારે પ્રવૃત્તિમાત્ર પ્રત્યે વિશિષ્ટજ્ઞાનની હેતુતા સિદ્ધ થઈ જ ગઈ છે ત્યારે તે વિશિષ્ટજ્ઞાન થાય તો છે જ તેમ માનવું જ જોઈએ અને રંગમાં રજતત્વ હાજર ક જ જ ન હોવાથી સ્વસંયુક્તસમતત્વ સંબંધથી રજતત્વનું પ્રત્યક્ષ જ ન થતું હોવાથી જ આ રજતત્વવત્ રજતનું પ્રત્યક્ષ તો થતું જ નથી. તેથી ત્યાં જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિથી જ વિશિષ્ટજ્ઞાન થાય છે તેમ માનવું જોઈએ. છે (જયાં ઈન્દ્રિયને યોગ્ય પદાર્થની સાથે ઈન્દ્રિયસંનિકર્ષના કાળમાં જ અયોગ્ય છે. કે પદાર્થનું પણ સ્મરણ થઈ શકે છે ત્યાં ઈન્દ્રિયસંબદ્ધ પદાર્થની સ્મૃતિના વિષયભૂત પદાર્થનું જ કિ અભિન્ન= એકરૂપ જ્ઞાન થાય છે આવો નિયમ છે, તેથી સ્મરણાંશમાં તે જ્ઞાન અલૌકિક જે સંનિકર્ષથી જન્ય છે અને ઈન્દ્રિયસંબંધના અંશમાં લૌકિક છે એવી વ્યવસ્થા છે.) પ્રસ્તુતમાં પણ પૂર્વાનુભવજન્ય “નતમ્' એવું પ્રત્યક્ષાત્મક જ્ઞાન જ્યાં થાય છે ત્યાં જ એ પણ અન્વય-વ્યતિરેક થાય છે. આથી જ રંગમાં રૂર્વ તિમ્ એવા પ્રકારના ચાક્ષુષજ્ઞાન અને પ્રત્યે રજતના અનુભવથી જન્ય એવા સંસ્કારથી જન્ય સ્મૃતિ જ કારણ છે. છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૦)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy