SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જ આવી, પણ વિરુદ્ધ પદનું ઉપાદાન કરવાથી હવે તે અતિવ્યાપ્તિ આવશે નહીં. આ વળી પટોડદ્રવ્ય પૃથ્વી એવું જ્ઞાન થઈ શકતું હોવાથી જો ભાવાભાવ પદનું ઉપાદાન ન કરો તો સંશયનું લક્ષણ તેમાં પણ ઘટી જતાં અતિવ્યાપ્તિ આવશે, કેમકે આ ઘટરૂપ એક ધર્મમાં અદ્રવ્યત્વ અને પૃથ્વીત્વરૂપ વિરુદ્ધકારક જ્ઞાન થયું છે. આમ તો ક એકધર્મવિરુદ્ધપ્રકારકજ્ઞાન રૂપ સંશયનું લક્ષણ ઘટી જવાથી આવતી અતિવ્યાપ્તિને નિવારવા “ભાવાભાવ' પદનું ઉપાદાન કર્યું છે. અદ્રવ્ય અને પૃથ્વી એ પરસ્પર જ અભાવરૂપ ન હોવાથી ભાવાભાવ પદના ઉપાદાન સહિતનું લક્ષણ તેમાં હવે ન જવાથી આ છે અતિવ્યાપ્તિ આવશે નહીં. ઈચ્છામાં અતિવ્યાપ્તિ નિવારવા “જ્ઞાન” પદનું ઉપાદાન કર્યું છે. તેથી સંશયનું લક્ષણ : વિરુદ્ધમાવામાવપ્રક્ષર જ્ઞાન' બન્યું. જ આ પુરૂષ છે કે હુંઠું ? તેવું જે સંશયાત્મક જ્ઞાન થાય છે તેમાં બંને વસ્તુમાં રહેલા જ સાધારણ ધર્મનું જ્ઞાન કારણ છે. જેમકે ઉચ્ચસ્તરત્વ = ઊંચાપણું તે વૃક્ષ અને માણસનો છે - સાધારણ ધર્મ છે. જો સામે રહેલી વસ્તુમાં બે વસ્તુમાં રહેલા સાધારણ ઉચ્ચત્વ ધર્મનું જ આ જ્ઞાન થાય તો સંશય થાય છે કે સામે દેખાતી વસ્તુ વૃક્ષ હશે કે માણસ ? પણ જેને આ “વૃક્ષ અને માણસમાં ઊંચાઈ હોય છે તેવું તેમના ઉચ્ચત્વ ધર્મનું જ્ઞાન જ ન હોય તેને આ આ વૃક્ષ દૂરથી અંધકારમાં જોવા છતાં “આ વૃક્ષ છે કે માણસ ?' તેવો સંશય પેદા પણ નહીં ક જ થાય. તેથી ઉભયમાં રહેલા સામાન્ય ધર્મના જ્ઞાનથી સંશય-જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ નક્કી થાય છે. પણ જો કોઈ વિશેષ ધર્મનું પણ જ્ઞાન થઈ જાય તો પછી સંશય જ રહે નહીં. પુરુષત્વવ્યાપ્યRવર વિમાનર્થ એવું વિશેષધર્મવાનું વસ્તુનું જ્ઞાન થઈ જાય છે. તો સામાન્ય ધર્મનું જ્ઞાન હોવા છતાં પણ સંશયાત્મક જ્ઞાન થવાને બદલે “આ માણસ છે' તેવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જ જાય. તે જ રીતે વૃક્ષ અને માણસના સાધારણ ધર્મ છે છે. ઉચ્ચત્વનું જ્ઞાન હોવા છતાં પણ જો વૃક્ષdવ્યાપ્યશાલ્લાવિમાનર્થ એવું વિશેષ ધર્મનું જ્ઞાન થાય તો સંશય થવાને બદલે “આ વૃક્ષ છે' તેવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય છે. જ શંકાકાર : સાધારણ (સામાન્ય) ધર્મનું જ્ઞાન હોવા છતાં પણ અહીં માણસ અને આ આ વૃક્ષનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તેમ તમે કહ્યું, તેથી અહીં કારણ હાજર હોવા છતાં આ સંશય ઉત્પન્ન ન થવાથી કારણની હાજરીમાં કાર્ય ન થતાં અન્વયવ્યભિચાર આવ્યો. આ કે નૈયાયિક : ના, અમારે અવયવ્યભિચાર આવતો જ નથી. જો તમામ કારણ- મુક્ત સામગ્રી હાજર હોવા છતાં પણ કાર્ય ન થાય તો જ અન્વયવ્યભિચાર આવ્યો કહેવાય. છે પણ અહીં સાધારણ ધર્મના જ્ઞાનરૂપ કારણ હાજર હોવા છતાં પ્રતિબંધકાભાવરૂપ કારણ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૮૧) છે તે છે કે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy