SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ જ નૈયાયિક : સારું, તો પછી શ્યામાદિનાશ-ક્ષણે ક્રિયાન્તરોત્પત્તિ નહીં માનીએ, પણ તે શ્યામાદિનાશ-ક્ષણે ક્રિયાનાશ તો થઈ જ શકે, કેમકે તે ક્રિયાનું કાર્ય (ઉત્તરસંયોગઆ પ્રાપ્તિરૂપ ચણુકનાશનું) પ્રથમ ક્ષણે જ પૂર્ણ થઈ ગયું છે. આમ શ્યામાદિનાશ-ક્ષણે પૂર્વકર્મનાશ થઈ જવાથી ત્યાર પછીની રક્તોત્પત્તિ-ક્ષણે પૂર્વકર્મનાશ રૂપ કારણ હાજર . ન હોવાથી કર્માન્તરોત્પત્તિ તૃતીય રક્તોત્પત્તિ-ક્ષણે જ માનવી જોઈએ. તેમ થતાં એક ક્ષણ ઓછી થવાથી લાઘવ થશે. વૈશેષિકો: અગ્નિસંયોગજન્ય પૂર્વકર્મથી જ્યાં સુધી અન્ય રક્તાદિ ગુણોની ઉત્પત્તિ અને ન થાય ત્યાં સુધી તે પરમાણુમાં અન્ય ક્રિયા ઉત્પન્ન થઈ શકે નહીં. જે ક્ષણે શ્યામાદિ છે રૂપનો નાશ થયો છે તે ક્ષણે દ્રવ્ય નિર્ગુણ બન્યું છે અને ક્રિયા નાશ થવાથી નિષ્ક્રિય છે પણ છે. હવે “નિર્ગુણ દ્રવ્યમાં ક્રિયા ઉત્પન્ન થઈ શકે નહીં તેવો નિયમ છે. તેથી દ્વિતીય છે . ક્ષણમાં ગુણનાશ થયો હોવાથી દ્વિતીય ક્ષણે તો નિર્ગુણ દ્રવ્ય છે. તેથી ત્રીજી ક્ષણે ક્રિયા છે. ઉત્પન્ન થવા માટેનું કારણ “ગુણવાન્ દ્રવ્ય” દ્વિતીય ક્ષણે હાજર નથી, માટે ત્રીજી ક્ષણે છે કારણાભાવે કર્માન્તરોત્પત્તિ રૂપ કાર્ય પણ થઈ શકે નહીં. તેથી ત્રીજી ક્ષણે રક્તગુણોત્પત્તિ થશે પણ કર્મ ઉત્પન્ન થશે નહીં. હવે ગુણવાન્ દ્રવ્યરૂપ કારણ હાજર છે જ થઈ જતાં ચોથી ક્ષણે કર્માન્તરની ઉત્પત્તિ થઈ જ જશે અને તેથી જ અમે ચોથી ક્ષણે કર્માન્તરોત્પત્તિ માની છે. તેથી રક્તાઘુત્પત્તિ-ક્ષણે કર્માન્તરોત્પત્તિ થઈ શકે નહીં. * मुक्तावली : तथापि परमाणौ श्यामादिनिवृत्तिसमकालं रक्ताद्युत्पत्तिः स्यादिति चेत् ? न, पूर्वरूपादिध्वंसस्यापि रूपान्तरे हेतुत्वात् । इति नवक्षणा। મુક્તાવલી : નૈયાયિક : કોઈપણ રીતે અન્ય કર્મોત્પત્તિની ચોથી ક્ષણનો બીજી કે જે છે. ત્રીજી ક્ષણમાં સમાવેશ ન થવાથી ભલે સ્વતંત્ર ક્ષણમાં ક્રિયાન્તરોત્પત્તિ માનો, પણ જે છે આ ક્ષણે શ્યામાદિનાશ થાય છે તે જ ક્ષણે રક્તાઘુત્પત્તિ માનો તો? તેમ થતાં તૃતીય ક્ષણે ગુણવાન્ દ્રવ્ય હાજર હોવાથી ક્રિયાન્તરોત્પત્તિ થઈ શકશે. આમ ક્રિયાન્તરોત્પત્તિનો કોઈ ક્ષણમાં અંતર્ભાવ ન થતો હોય તો શ્યામાદિનાશની ક્ષણમાં જ રક્તોત્પત્તિનો અંતર્ભાવ છે કરીને એક ક્ષણ કેમ ન બચાવાય ? છે વૈશેષિક : ઉત્તરગુણોત્પત્તિમાં પૂર્વગુણનાશ કારણ છે, તેથી જ્યાં સુધી શ્યામાદિ માં ગુણોનો નાશ ન થાય ત્યાં સુધી રક્તાદિ-ગુણોત્પત્તિ થઈ શકે નહીં. જો પ્રથમ ક્ષણે જ છે જ શ્યામાદિ ગુણોનો નાશ થયો હોત તો બીજી ક્ષણે રક્તગુણોત્પત્તિ માની શકાત. પરંતુ છે તે ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૨૩) િ .
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy