SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષ: માધ્યવાન્ એવી જ અનુમિતિ થાય, અર્થાત્ પર્વતો વહ્વિમાન્ એવી અનુમિતિ પ્રત્યે પર્વતો ધૂમવાન્ ઇત્યાકારક પરામર્શ જ કારણ છે. હવે ઉક્ત વ્યતિરેક-વ્યભિચાર દોષ આવશે નહિ. અહીં નવ્યો તો કહે છે પરામર્શથી પક્ષ: માથ્યવાન્ સાધ્યમ્ = પર્વતે વહ્નિઃ એવી કે પક્ષે વ્યાપ્યઃ કે પક્ષો વ્યાપ્યવાન્ એવા બે ય પ્રકારના પર્વતો વૃદ્ઘિમાન્ એવી એક જ અનુમિતિ થાય. પક્ષે અનુમિતિ થઈ શકતી જ નથી. = मुक्तावली : ननु 'वह्निव्याप्यधूमवान् पर्वत' इति ज्ञानं विनाऽपि 'यत्र पर्वतो ઘૂમવાન્' કૃતિ પ્રત્યક્ષ, તતો ‘વહ્રિવ્યાપ્યો ધૂમ' કૃતિ વ્યાપ્તિસ્મરણં, તંત્ર જ્ઞાનद्वयादेवाऽनुमितेर्दर्शनात् व्याप्तिविशिष्टवैशिष्ट्यावगाहिज्ञानं सर्वत्र न कारणं, किन्तु व्याप्यतावच्छेदकप्रकारकपक्षधर्मताज्ञानत्वेन कारणत्वस्याऽऽवश्यकत्वात्, तत्र विशिष्टज्ञानकल्पने गौरवाच्चेति चेत् ? મુક્તાવલી : હવે મીમાંસકો અને નૈયાયિકો સામસામા આવે છે. આપણે જોયું નૈયાયિકો અનુમિતિ પ્રત્યે પરામર્શાત્મક વિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહિ જ્ઞાનને કારણ માને છે, જ્યારે મીમાંસકો તો આવા વિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહિ જ્ઞાનને ગુરૂભૂત કહી દે છે અને તેથી અનુમિતિ પ્રત્યે આવા ગુરૂભૂત પરામર્શને અનુમિતિ-જનક માનતા નથી. તેઓ તો વ્યાપ્તિવિશિષ્ટ ધૂમનું જ્ઞાન અને પક્ષધર્મ તરીકેનું ધૂમનું જ્ઞાન એમ બે જ્ઞાનથી અનુમિતિ થઈ જાય એમ કહે છે. હવે એ બે વચ્ચેની આખી ચર્ચા પંક્તિ સાથે જોઈએ. મીમાંસક : વહ્રિવ્યાપ્યઘૂમવાન્ પર્વત: એવું પરામર્શાત્મક જ્ઞાન ન હોય તો અનુમિતિ ન થાય એમ કહેવું બરોબર નથી. આવા વિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહિ જ્ઞાન વિના પણ અનુમિતિ થઈ શકે છે. તે આ રીતે : એક માણસને ‘પર્વતો ઘૂમવાન્' એવું પ્રત્યક્ષ થયું. ત્યારબાદ પૂર્વે થયેલી મહાનસીય ધૂમ-વહ્નિની વ્યાપ્તિનું સ્મરણ થયું, ઘૂમો વહ્રિવ્યાપ્યઃ । આમ જેને આ રીતે પર્વતો ધૂમવાનુ, ઘૂમો વહ્લિવ્યાઘ્ય: એવા બે જ્ઞાન થાય તેને તરત જ અનુમિતિ થવાની કે પર્વતો વહ્વિમાન્ તો આમ બે જ્ઞાનથી જ અનુમિતિ થઈ જાય છે પછી શા માટે વહ્નિવ્યાધૂમવાન્ પર્વતઃ ઇત્યાકારક વિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહિ પરામર્શને બધી અનુમિતિ પ્રત્યે કારણ માનવો ? ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૧)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy