SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ માનીશું અને તેથી રાજનું અને પુરૂષનો નિરૂપિતત્વસંબંધાત્મક ભેદસંબંધથી અન્વય કરી છે છે લઈશું. નિરૂપિતસ્વત્વવાન પુરુષ: I રાજાનો પુરૂષ એટલે રાજા સ્વામી થયો, પુરૂષ એ સ્વ થયો, માટે રાજનિરૂપિતસ્વત્વવાનું પુરુષ થઈ ગયો. આમ પૂર્વોક્ત “નિપાતાતિરિક્ત'નો નિયમ નહિ માનવાથી આ રીતે ભેદન અન્વય કરી લઈશું. હવે આ - રાજ પદની રાજસંબંધીમાં તમે જે લક્ષણા કરવાના છો તેની જરૂર જ નહિ રહે. નૈયાયિકઃ નહિ, જો એ નિયમ નહિ માનો તો રાની પુરુષ: (રાજા એવો જે પુરૂષ) જે સ્થળે પણ બે ય નિપાતાતિરક્ત નામાર્થ છે છતાં તેનો અભેદન અન્વય નહિ કરતાં જ ભેદન - નિરૂપિતત્વસંબંધથી અન્વય કરી લેવો પડશે. એટલે પુરૂષ એ રાજા છે” એવો શાબ્દબોધ અનુ૫પન્ન થશે અને “નિરૂપતસ્વત્વવાન્ પુરુષ:' એવો શાબ્દબોધ છે જ થવાની આપત્તિ આવશે. આ આપત્તિ નિવારવા ઉક્ત નિયમ માનવો જ જોઈએ અને એ છે તેથી હવે રાની પુરુષઃ સ્થળે બે ય નિપાતાતિરિક્ત નામાર્થ છે માટે તેમનો સાક્ષાતુ= જ આ તાદાસ્પેન જ અન્વય કરવાનો રહેશે જેથી પુરૂષ એ રાજા છે' એવો શાબ્દબોધ ઉપપન્ન જ થઈ જશે. છે આમ જ્યારે આ નિયમ માનવાનો નક્કી થયો એટલે રાનપુરુષ (પુરૂષ) સ્થળે ભેદસંબંધ-નિરૂપિતત્વસંબંધથી અન્વય થઈ શકશે જ નહિ, અર્થાત્ હવે આ બે નામાર્થનો જ આ અભેદન જ અન્વય કરવો પડશે. હવે એમ યથાશ્રુત શક્યાર્થ લઈને અભેદેન અન્વય છે છે કરવા જઈએ તો “રાજા એ પુરૂષ' એવો શાબ્દબોધ થવાની આપત્તિ આવે. વસ્તુતઃ અહીં છે રાજસંબંધી જે પુરૂષ એવો શાબ્દબોધ થાય છે. આથી જ રાજન્ પૂર્વપદની રાજસંબંધીમાં જ લક્ષણા કરવી જ જોઈએ. મીમાંસકઃ પૂર્વોક્ત નિયમમાં નિપાતાતિરિક્ત કેમ કહ્યું? નૈયાયિક : નિપાત નામાર્થનો બીજા નામાર્થ સાથે સાક્ષાત્ સંબંધથી (વિભજ્યર્થ છે દ્વાર ન પડે તો ય) પણ અભેદન અન્વય થઈ જવાની આપત્તિ આવે. આ આપત્તિ ન કરી જ આવે માટે આમ કહ્યું, અર્થાત્ જો “નિપાતાતિરિક્ત' ન કહીએ અને માત્ર સાક્ષાસંબંધથી રહેલા નામાર્થનો ભેદન અન્વય ન થાય એટલું જ કહીએ તો પટ પર સ્થળે ન જ નિપાત-નામાર્થ સાથે પટ નામાર્થનો સાક્ષાત્ સંબંધ છે જ, અર્થાત્ તે બે નામાર્થ વચ્ચે છે કોઈ વિભજ્યર્થ દ્વાર નથી, એટલે હવે અભેદેન અન્વય થવાની આપત્તિ આવે. વસ્તુતઃ છે છે. અહીં ભેદન અન્વય થાય છે, પર: પટપ્રતિયોગિતામેવાન એવો શાબ્દબોધ થાય છે. છે. અહીં પ્રતિયોગિતાત્મક ભેદસંબંધથી અન્વય થયો છે એટલે નિપાતાતિરિક્ત કહ્યું. આ જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨) ોિ જ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy