SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તાવલીઃ સાત પદાર્થવાદી તૈયાયિક હવે આ બે ય પૂર્વપક્ષનું ખંડન કરતાં પ્રથમ શક્તિ પદાર્થને માનવાની જ જરૂર નથી' તે વાત સિદ્ધ કરે છે. શક્તિવાદીએ વહ્નિમાં દાહાનુકૂલ શક્તિ માનીને સિત્તે હિતેન્દ્ર શરૂ-મત્તે તાત્ત્વિમ્ એવો અન્વયવ્યતિરેક કર્યો હતો, પણ તૈયાયિક તો કહે છે કે ચન્દ્રકાન્ત મણિ વિનાનો વહિ હોય તો દાહ થાય અને ચન્દ્રકાન્ત મણિયુક્ત વહિં હોય, અર્થાત્ ચન્દ્રકાન્ત મણિ વિનાનો વહ્નિ ન હોય તો દાહ થાય નહિ. મનિ-મસમવદિતદ્વિત્તેિ સાહિત્ત્વિન! -ગમવદિત વહ્નિ-૩ સાહસિત્ત્વમ્ આવો જ અન્વયવ્યતિરેક માનવો જોઈએ. અર્થાત દાહ પ્રત્યે માત્ર વહ્નિને જ કારણ ન કહેતાં મણ્યાઘભાવવિશિષ્ટ વહ્નિને કારણ કહેવું જોઈએ અથવા દાહ પ્રત્યે મણ્યભાવ તથા વહ્નિ એમ બે જુદા જુદા (સ્વતન્ત્ર) કારણો કહેવા જોઈએ. આટલેથી જ કામ પતી જાય છે તો શક્તિપદાર્થ, તેના પ્રાગભાવો અને તેના ધ્વસો માનવાની શી જરૂર ? એ ઉચિત નથી. मुक्तावली : न चोत्तेजके सति प्रतिबन्धकसद्भावेऽपि कथं दाह इति वाच्यम्, उत्तेजकाभावविशिष्टमण्यभावस्य हेतुत्वात् । મુક્તાવલી : શક્તિવાદી : તમે કહ્યું કે મધ્યભાવવિશિષ્ટ વહ્નિ દાહનું કારણ છે તો | ભલે, તમે અહીં ફસાઈ જશો. જે વહ્નિ પાસે ચન્દ્રકાન્ત મણિ છે અને તેથી જ્યાં દાહ થતો નથી ત્યાં જ જો બીજો સૂર્યકાન્ત મણિ લાવીને મૂકવામાં આવે તો ચન્દ્રકાન્ત મણિ હોવા છતાં દાહ થાય છે, કેમકે સૂર્યકાન્ત મણિ દાહનો ઉત્તેજક છે. આ સ્થાને (ચન્દ્રકાન્તમધ્યભાવવિશિષ્ટ વહિં નથી, છતાં દાહ તો થયો. તમે તો મણ્યભાવવિશિષ્ટ વદ્વિરે દાહનું કારણ કહો છો, તો કારણ વિના કાર્ય થઈ જવાથી વ્યતિરેકવ્યભિચાર આવ્યો. અમારે તો સીધી જ વાત છે કે ઉત્તેજક આવવાથી વહ્નિમાં શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે દાહ થઈ ગયો. નૈયાયિક : સારું ત્યારે, હવે અમે થોડો પરિષ્કાર કરીશું. વસ્તુસ્થિતિ એ છે કે જો 8 | ઉત્તેજકાભાવવિશિષ્ટ ચન્દ્રમણિ હોય તો તે દાહનો પ્રતિબંધક બને છે. જેનામાવ વિશિષ્ટર : રાદતિવા કાર્ય માત્ર પ્રત્યે પ્રતિબંધકાભાવ કારણ છે, એટલે દાહરૂપ કાર્યમાં ઉત્તેજકાભાવવિશિષ્ટ ચન્દ્રમણિ પ્રતિબંધક છે માટે ઉત્તેજકાભાવવિશિષ્ટ ચન્દ્રમણિનો અભાવ કારણ છે. હવે જે જે સ્થિતિમાં ઉત્તેજકાભાવવિશિષ્ટ મણિનો અભાવ હોય તે તે સ્થિતિમાં દાહ થઈ જશે. જ્યાં ઉત્તેજકાભાવવિશિષ્ટ મણિ જ હોય TET ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૩૧)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy