SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ kosowow o wowowowowowowowowowotnesbosbordoso નૈયાયિક : બરાબર છે. અહીં “આનન્દ' શબ્દનો દુઃખાભાવમાં ઉપચાર કરવાનો છે. એટલે કે પરમેશ્વર દુઃખાભાવવાનું છે, અર્થાત્ આનંદવાનું છે. જેમ ભારશૂન્ય માણસ ભાર ઉપાડીને બધો ભાર જમીન ઉપર મૂકી દે ત્યારે તે કહે છે કે હવે હું સુખી , થયો. વસ્તુતઃ તો તે કાંઈ નવું સુખ પ્રાપ્ત કરતો નથી, માત્ર વહન કરેલા ભારનો | અપગમ જ થાય છે અને તે ભારાપગમમાં સુખી તરીકેનો ઉપચાર કરે છે. પ્રસ્તુતમાં પણ આવું સમજવું. પ્રશ્ન : જો દુ:ખાભાવમાં આનંદ શબ્દનો પ્રયોગ થાય તો દુઃખાભાવવાળા ઘટાદિ પણ આનંદવાળા કહેવાશે ને ? નૈયાયિક : તો ભલે, અમે દુઃખાભાવમાં આનંદ શબ્દનો પ્રયોગ નહિ કરીએ પણ અમે કહીશું કે ઈશ્વરમાં આનંદ નામનો ગુણ રહે છે, અર્થાત પોતે જેમ નિત્ય જ્ઞાનવાનું છે તેમ નિત્ય આનંદવાનું છે. પરંતુ આનંદસ્વરૂપ તો ઈશ્વર નથી જ, કેમકે મલુઉમા એવી શ્રુતિ પણ મળે છે જેનો અર્થ છે; પરમાત્મા સુખસ્વરૂપ નથી, અર્થાત્ પરમાત્મા સુખભિન્ન છે : સુખાધિકરણ છે. | વેદાન્તીઃ ર યુદ્ધમ્ રૂતિ કુમ્ એવો તપુરુષ સમાસ શા માટે લેવો? જ વિદ્યારે સુd થી રૂતિ સુરમ્ એવો બહુવ્રીહિ સમાસ શા માટે ન લેવો ? નૈયાયિક : નહિ, એ સમાસ લેવામાં ક્લિન્ટની કલ્પના થાય છે. વળી શરીર, | શૂનમ, અણુ એ વાક્યમાં શરીરમ્ અને મયૂનમ પદને નગ્ન તત્પરૂષ સમાસ | તરીકે લીધા છે તેથી જ તેમની સાથે રહેલા મસુમ પદનો પણ નમ્ તત્પરૂષ સમાસ | લેવો જોઈએ. એટલે પરમાત્મા સુખ નથી પરંતુ સુખાધિકરણ છે એ નક્કી થયું. તેથી | પરમાત્મા આનંદસ્વરૂપ નહિ પણ આનંદભિન્ન એવા આનંદાધિકરણ સિદ્ધ થાય. વળી જો આનંદ પદને મત્વર્ગીય મ પ્રત્યયાત ન ગણીએ અને તેથી “આનંદ- સ્વરૂપ | પરમાત્મા” એવો અર્થ કરીએ તો માનનમ્ એવો પ્રયોગ બની શકે જ નહિ, કેમકે પછી તો મવર્ગીય અર્ પ્રત્યયરહિત આનંદ પદ પુલિંગમાં જ આવે, જ્યારે શ્રુતિમાં માનન+ એવો નપુંસકલિંગ પ્રયોગ છે માટે ત્યાં મવર્ગીય અન્ પ્રત્યય માનવો જ જોઈએ અને તેથી તેનો અર્થ “આનંદવાળા” એવો જ કરવો જોઈએ. તે જ રીતે વિજ્ઞાન' પદનો “વિજ્ઞાનવાળા એ જ અર્થ કરવો જોઈએ પણ “વિજ્ઞાનસ્વરૂપ પરમાત્મા” એવો અર્થ કરી શકાય નહિ. આમ નિત્ય વિજ્ઞાનસ્વરૂપ પણ ઈશ્વરાત્મા નથી એ વાત સ્થિર થઈ જાય છે. બ ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦૨) ESSES
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy