SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ tactococco coccostardadosos estudos todos casos cochescasadosbouscousco |तिरिक्तवस्तुनोऽभावादिति वाच्यं, घटादेरनुभूयमानस्यापलपितुमशक्यत्वात् । મુક્તાવલી: નૈયાયિક : અરે બૌદ્ધો ! જો આત્મા જ્ઞાનસ્વરૂપ જ હોય તો “જ્ઞાન સવિષયક જ હોય' એ નિયમથી અમે તમને પૂછીએ છીએ કે વિજ્ઞાન (આત્મા) કિંવિષયક છે ? જો જગતવિષયક હોય તો દરેક વિજ્ઞાન આત્મા સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે અને જો એમ કહો કે તે વિજ્ઞાન (આત્મા) યત્કિંચિવિષયક છે તો વિનિગમનાવિરહ આવશે, અર્થાત્ જો વિજ્ઞાન ઘટવિષયક હોય તો પટવિષયક કેમ નહિ? પટવિષયક હોય તો ઘટવિષયક કેમ નહિ ? બૌદ્ધ: ભાઈ, જે વખતે વિજ્ઞાનમાં જેવો અનુભવ થાય તે વખતે તે વિજ્ઞાન તત્ | તત્ ઘટાદિ-વિષયક બને. નૈયાયિક : સારું, જો વિજ્ઞાનસ્વરૂપ જ આત્મા હોય તો હવે સુષુપ્તિકાળમાં પણ વિજ્ઞાનાત્મા હોવાથી તે આત્માને કોઈ ને કોઈ વિષયનો અવભાસ થયા જ કરવાની આપત્તિ આવશે, કેમકે જ્ઞાન હંમેશા સવિષયક જ હોય. વસ્તુતઃ સુષુપ્તિ અવસ્થામાં | બાહ્ય કોઈ વિષયનું ભાન હોતું નથી. બૌદ્ધઃ એ વખતે નિરાકાર વિજ્ઞાનધારા ચાલે છે એમ અમે કહીશું, અર્થાત સુષુપ્તિ અવસ્થામાં જે વિજ્ઞાનધારા ચાલે છે તે વિષયાકાર રહિત હોય છે. એટલે હવે સુષુપ્તિમાં વિષયાવભાસ થવાની આપત્તિ નહિ આવે. નૈયાયિક : જેનો કોઈ વિષય ન હોય તે વિજ્ઞાન (સ્વપ્રકાશ) કહેવાય નહિ. એટલે | જો સુષુપ્તિગત વિજ્ઞાન નિર્વિષયક હોય તો તેને વિજ્ઞાન કહેવામાં કોઈ પ્રમાણ નથી. નિર્વિષયક હોય તેને વિજ્ઞાન કેમ કહેવાય ? અને જો વિષય વિનાનાને પણ વિજ્ઞાન કહેવાય તો ઘટાદિને પણ વિજ્ઞાન કેમ ન કહેવાય ? કેમકે ઘટાદિનો કોઈ વિષય નથી (વિષય જ્ઞાન-સુખાદિનો જ હોય છે.) અને વિષય ન હોવા છતાં વિજ્ઞાન કહેવામાં | તમને વાંધો નથી. બૌદ્ધ ઃ ઘટાદિને વિજ્ઞાન કહેવામાં અમને ઈષ્ટાપત્તિ જ છે, કેમકે અમે તો “સર્વ | Tvમેયં વિજ્ઞાનમ્' એવા સિદ્ધાન્તવાળા છીએ. એટલે અમારા મતે તો વિજ્ઞાનથી જુદી કોઈ | ઘટાદિ વસ્તુ છે જ નહિ. નૈયાયિકઃ આમ ઘટાદિને વિજ્ઞાનસ્વરૂપ કહેવાની તમે ઈષ્ટાપત્તિ નહિ કહી શકો, કેમકે વિજ્ઞાનથી વ્યતિરિક્તરૂપે ઘટાદિનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તેનો તમે અપલાપ કરી શકો નહિ. 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 LG , ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૪)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy